માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના જાલી ગામે ડાયરામાં ફરીદાબેન મીર અને  બ્રીજરાજદાન ગઢવીએ બોલાવી રમઝટ


SHARE













મોરબી : વાંકાનેરના જાલી ગામે ડાયરામાં ફરીદાબેન મીર અને  બ્રીજરાજદાન ગઢવીએ બોલાવી રમઝટ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લામાં સૌપ્રથમ વાંકાનેરના જાલી બસ સ્ટેન્ડ પાસે વિશાળ જગ્યામાં ભગવાન માંધાતા અને સંત શ્રીવેલનાથ બાપુના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ જગ્યા ઉપર તા.૨ એપ્રિલને શનિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં સાતથી આઠ હજાર જેટલા તમામ સમાજના લોકો, સંતો-મહંતોએ હાજરી આપી હતી.

પ્રખ્યાત કલાકારો ફરીદાબેન મીર, બ્રીજરાજદાન ગઢવી અને આદિત્યદાન ગઢવીએ લોકગીતો અને લોકસાહિત્યની રમઝટ બોલાવતા લોકો ઝૂમી ઉઠ્યા હતા.લોક ડાયરાનો રાજકીય નેતાઓએ પણ લાભ લીધો હતો.જેમાં મોરબીમાં રહેતા રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, માજી સંસદસભ્ય દેવજીભાઈ ફતેપરા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, વાંકાનેર તાલુકા પંચાયત ટીમ, વાઘજીભાઈ, રતિલાલભાઈ દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.સમસ્ત કોળી સમાજ (માંધાતા ગ્રુપ) વાંકાનેરના સ્થાપક અને સંચાલક જિજ્ઞાસાબેન મેરના હસ્તે કલાકારો અને આગેવાનોનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું.સમસ્ત કોળી સમાજે કરેલાં આ લોકડાયરાની તમામ સમાજે પ્રશંસા કરી હતી.સાથે વાંકાનેરની આજુબાજુના ગામોના અને માલિયાસણ ગામના માંધાતાગ્રુપના લોકો દ્વારા જીજ્ઞાશાબેન મેરનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતુ.






Latest News