માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌચર જમીન અને ગેરકાયદેસર પવનચકીઓ મુદદે જીલ્લા કલેક્ટરમાં રાવ


SHARE

















મોરબીમાં ગૌચર જમીન અને ગેરકાયદેસર પવનચકીઓ મુદદે જીલ્લા કલેક્ટરમાં રાવ

મોરબી જિલ્લાની અનેક ગૌચરની જમીનો કે જયાં ગૌવંશો ચારો ચરતા હતા તે જમીનો ઉપર કોઈને કોઈ રીતે બાંધકામો ખડકીને કે અન્ય કોઈ રીતે દબાણો કરવામાં આવ્યા છે જેનો સમયાંતરે લગત તંત્ર દ્રારા સર્વે થતો ન હોય દિવસેને દિવસે ગેરકાયદેસર દબાણોની સંખ્યા વધતી જાય છે અને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો આવતો ન હોય દબાણકર્તાઓ બેફામ બન્યા હોય તેવો જીલ્લામાં ઘાટ સર્જાયો છે.

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના કુંભારિયા ગામના વતની રણછોડભાઈ લક્ષમ્ણભાઇ બાબરીયાએ રોષ સાથે જણાવ્યું છેકે, છેલ્લા છ વર્ષથી તેઓ સંલગ્ન વિભાગોમાં અરજી કરેલ છે અને ગૌચર જમીન ઉપરના દબાણ દુર કરવા માટે અને ગેરકાયદેસર પવનચક્કીઓ વિશે યોગ્ય કરવા માંગ કરવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી..! તો કયા કારણોસર કાર્યવાહી કરવામાં આવેલ નથી..? સરકારી અધીકારીઓના સગા સબંધીઓ છે..? કે રૂપિયાનો થેલો ભરી લીધો છે ? કે પછી રાજકીય દબાણ છે..? કંપની વાળાની ભાગીદારી છે કે કંપની વાળાનું દબાણ છે ? કયાં કારણોસર કાર્યવાહી કરવામાં આવતી નથી.તેવા આક્ષેપો રજુઆતમાં કરવામાં આવ્યા છે.

વધુમાં તેઓએ ચીમકી સાથે કલેકટરને કરેલ અરજીમાં જણાવ્યું છેકે જો એક મહિનામાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબી જીલ્લા કલેક્ટર સામે બારવટે ચડીશ..! અગાઉ ન્યાય મેળવવા માટે બારવટા ખેલાતા હતા.કલેક્ટર કચેરીએ યોજાતો મુખ્યમંત્રી ફરીયાદ નીવારણ કાર્યક્રમ એક નાટક છે.જેમા પોલીસને સાથે રાખીને અરજદારોને દબાવવામાં આવે છે..! ૧૫ દિવસમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી તા.૧૫-૪ ના રોજ જનતા કાર્યવાહી કરવામાં આવશે અને જો પોલીસના ઘાડા ઉતારી દેવામાં આવશે તો કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.અવારનવાર પોલીસ ધમકાવે છે ખોટા કેસ કરે છે.જેલમાં આઠ-દસ દિવસ નાખી દે છે.ચેપ્ટર કેસ કરતા બે-બે રાત્ર લોકઅપમાં રાખે છે.મુખ્ય મંત્રીને આ બાબતે ૧૨ અરજીઓ કરેલ છે.તેમ છતાં કોઇ કાર્યવાહી આજદિન સુધી થઇ નથી.! તો ઉપરોકત બાબતોની ફરીયાદ સાંભળી તાત્કાલીક કાર્યવાહી કરવા કલેકટર સમક્ષ માંગણી કરાયેલ છે.




Latest News