મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે
SHARE
મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે
ગુરૂદેવના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે
સદગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ગત તા.૨૮-૩-૨૨ ના રોજ બ્રહ્મલીન થયા.સદગુરૂ દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન તા.૭-૪-૨૨ ને ગુરૂવારના રોજ આવતો હોય તે નિમિતે મોરબી નિવાસી ગુરૂજીના શિષ્યો દ્વારા તા.૭-૪-૨૨ ના રોજ મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૭ ના સાંજે ૭ કલાકે ૧૦૦૮ દીવડાની મહાઆરતી તેમજ ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે.તેનો દરેક ગુરૂભક્તોને સમયસર ઉપસ્થિત રહીને આરતી તેમજ પ્રસાદનો લાભ લેવા યાદીમાં જણાવવામાં આવેલ છે.