મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાની વિશાલા હોટલ નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE









માળીયા મીંયાણાની વિશાલા હોટલ નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલી વિશાલા હોટલ પાસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલ વિશાલા હોટેલની પાસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રાકેશ ફતેસિંગ હઠીલા (ઉમર ૩૫) રહે.છાંયા રોડ પોરબંદર વાળાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અહીં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ અર્થે બનાવ માળીયા પોલીસ મથકની હદનો હોય માળીયા પોલીસમાં જાણ કરી હતી.

ગુમ થયેલ યુવતી મળી આવી

મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી થોડા સમય પહેલા નિર્મલાબેન ભાઇલાલભાઇ ગોહીલ નામની ૨૪ વર્ષીય યુવતી ગુમ થઇ ગઇ હતી જે અંગે મોરબી બી ડિવિઝનમાં જાણ કરવામાં આવી હતી.દરમિયાનમાં તપાસ ચલાવી રહેલા હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગર તથા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૩-૪ ના રોજ ગુમ થયેલ નિર્મલાબેન ગોહિલ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને ત્યાં તેમણે જણાવ્યું હતું કે ઝાલોદના રહેવાસી અજય દિનેશભાઇ તુવર નામના યુવાન સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે લગ્ન કરીને રહેવા ઈચ્છે છે.હાલ આ અંગે નોંધ કરીને પોલીસે આ અંગેની આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબી નજીકના રાજપર ગામનો રહેવાસી મંથન બળવંતભાઈ નામનો ૧૭ વર્ષીય યુવાન એરોડ્રામ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે તે બાઇકમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલા મંથનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતો બળદેવ રામસિંગભાઈ ઝિંઝુવાડીયા નામનો ૩૯ વર્ષીય યુવાન રફાળેશ્વર ફાટકથી જોધપર તરફ બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં થયેલ અકસ્માત બનાવમાં ઘવાયેલા બળદેવ ઝિંઝુવાડીયાને પણ સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News