મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


SHARE







મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબીના સરદાર રોડ પર આવેલ મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તા. ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ મુંબઈના ડોકયાર્ડમાં દારૂગોળો તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થનો માલસામાન ભરેલ બ્રિટિશ માલવાહક જહાજ આવ્યું હતું ત્યારે ભયંકર ધડાકા સાથે તેમાં આગ લાગી હતી અને આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર વિભાગના ૬૬ જવાનો શાહિદ થયા હતા ત્યારે ત્યારથી અગ્નિશામક સેવા દિવસ તરીકે ૧૪મી એપ્રિલના રોજ કાર્યક્રમ હોય છે અને અગ્નિ શામક સેવા દિન નિમિતે તમામ નામી અનામી શહીદો કે જેમણે લોકોના જીવ બચાવવા માટે થઈને ફાયર વિભાગની કામગીરી દરમ્યાન પોતાના જીવ આપેલ છે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેવી જ રીતે મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફાયર વિભાગમાં કામગીરી દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી






Latest News