મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


SHARE









મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબીના સરદાર રોડ પર આવેલ મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તા. ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ મુંબઈના ડોકયાર્ડમાં દારૂગોળો તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થનો માલસામાન ભરેલ બ્રિટિશ માલવાહક જહાજ આવ્યું હતું ત્યારે ભયંકર ધડાકા સાથે તેમાં આગ લાગી હતી અને આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર વિભાગના ૬૬ જવાનો શાહિદ થયા હતા ત્યારે ત્યારથી અગ્નિશામક સેવા દિવસ તરીકે ૧૪મી એપ્રિલના રોજ કાર્યક્રમ હોય છે અને અગ્નિ શામક સેવા દિન નિમિતે તમામ નામી અનામી શહીદો કે જેમણે લોકોના જીવ બચાવવા માટે થઈને ફાયર વિભાગની કામગીરી દરમ્યાન પોતાના જીવ આપેલ છે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેવી જ રીતે મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફાયર વિભાગમાં કામગીરી દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી






Latest News