માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો


SHARE

















માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે થોડા દિવસો પહેલા પરિણીતાએ પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં તેના જમાઈ સહિત ત્રણ સામે દીકરીને ઘર કામ આવડતું નથી તેવું કહીને ઝઘડા કરતાં હતા જેથી તેની દીકરીએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ગોપાલભાઈ નવઘણભાઈ કોળી (ઉંમર ૨૨) ના પત્ની તેજલબેન કોળી (ઉંમર ૨૦) એ પોતાના જ ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક પરિણીતાના જામનગરના બાલભા ખાતે રહેતા પિતા ટુભાઈ ઘોઘાભાઈ રાઠોડ (૫૦)એ માલિતા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેની દીકરી તેજલને ઘર કામ આવડતું નથી તેવું કહીને જમાઈ ગોપાલભાઈ નવઘણભાઈ કોળી, સસરા નવઘણભાઈ પ્રભુભાઈ કોળી અને સાસુ વનિતા નવઘણભાઈ કોળી તેની સાથે અવાર નવાર ઝઘડા કરતાં હતા અને માનસિક ત્રાસ આપતા હતા જે સહન ન થતાં તેને આપઘાત કરી લીધો છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News