મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો


SHARE













માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે થોડા દિવસો પહેલા પરિણીતાએ પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં તેના જમાઈ સહિત ત્રણ સામે દીકરીને ઘર કામ આવડતું નથી તેવું કહીને ઝઘડા કરતાં હતા જેથી તેની દીકરીએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ગોપાલભાઈ નવઘણભાઈ કોળી (ઉંમર ૨૨) ના પત્ની તેજલબેન કોળી (ઉંમર ૨૦) એ પોતાના જ ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક પરિણીતાના જામનગરના બાલભા ખાતે રહેતા પિતા ટુભાઈ ઘોઘાભાઈ રાઠોડ (૫૦)એ માલિતા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેની દીકરી તેજલને ઘર કામ આવડતું નથી તેવું કહીને જમાઈ ગોપાલભાઈ નવઘણભાઈ કોળી, સસરા નવઘણભાઈ પ્રભુભાઈ કોળી અને સાસુ વનિતા નવઘણભાઈ કોળી તેની સાથે અવાર નવાર ઝઘડા કરતાં હતા અને માનસિક ત્રાસ આપતા હતા જે સહન ન થતાં તેને આપઘાત કરી લીધો છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News