મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડામાં ૧૧ નિરાધાર દિકરીઓનો રજવાડી લગ્નોત્સવ યોજાયો


SHARE









વાંકાનેરના રાતાવીરડામાં ૧૧ નિરાધાર દિકરીઓનો રજવાડી લગ્નોત્સવ યોજાયો

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ રજવાડી ઠાઠ સાથે યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવમાં સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જુનિયર રમેશ મહેતા (મયુર બાપા), જુનિયર નરેશ કનોડિયા (કિશોરભાઇ ડાભી) સહિતના કલાકારોએ જમાવટ કરી હતીઅને બીજા દિવસે ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ત્યારે હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે હતી ત્યાર બાદ સંતો-મહંતો સહિતનાઓના આશીર્વાદ સાથે દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા






Latest News