મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડામાં ૧૧ નિરાધાર દિકરીઓનો રજવાડી લગ્નોત્સવ યોજાયો


SHARE













વાંકાનેરના રાતાવીરડામાં ૧૧ નિરાધાર દિકરીઓનો રજવાડી લગ્નોત્સવ યોજાયો

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ રજવાડી ઠાઠ સાથે યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવમાં સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જુનિયર રમેશ મહેતા (મયુર બાપા), જુનિયર નરેશ કનોડિયા (કિશોરભાઇ ડાભી) સહિતના કલાકારોએ જમાવટ કરી હતીઅને બીજા દિવસે ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ત્યારે હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે હતી ત્યાર બાદ સંતો-મહંતો સહિતનાઓના આશીર્વાદ સાથે દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા








Latest News