માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી


SHARE

















હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી

મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે મોબાઇલ ટાવરમાં મુકવામાં આવેલ બેટરી બેકઅપના સેલ મૂકવામાં આવ્યા હતા તેની ચોરી કરવામાં આવી હોવાની જે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે તે ત્રણેય શખ્સોની સામે હાલમાં વાંકાનેર તાલુકાનાં તીથવા અને કોટડા નાયણી ગામે મૂકવામાં આવેલા બે મોબાઈલ ટાવરમાંથી કુલ મળીને ૪૮ બેટરી બેકઅપના સેલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના મૂળ રહેવાસી અને હાલમાં લાલપર નજીક વોડાફોન ટાવર ગૌતમ સિરામિક પાસે રહેતા અશોકભાઇ લાલજીભાઈ રાઠોડ (ઉંમર ૩૭) એ પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડતાલુકો જશદણકિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા૯/૧ થી ૩૦/૩ સુધીના સમયગાળા દરમિયાન વાંકાનેર તાલુકાનાં તીથવા અને કોટડા નાયણી ગામે મૂકવામાં આવેલ ઇન્ડઝ કંપનીના બે મોબાઈલ ટાવરમાંથી અમરારાજા કંપનીની બેટરી બેકઅપના કુલ મળીને ૪૮ સેલ જેની કિંમત કુલ મળીને ૪૮ હજારના મુદ્દામાલની આરોપીઓએ ચોરી કરી છે જેથી અશોકભાઈ રાઠોડની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય શખ્સોની સામે બેકઅપના સેલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી




Latest News