માળીયા (મિં.) ના પીપળીયા ચોકડી નજીક છકડો રીક્ષાએ બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી
SHARE
હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી
મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે મોબાઇલ ટાવરમાં મુકવામાં આવેલ બેટરી બેકઅપના સેલ મૂકવામાં આવ્યા હતા તેની ચોરી કરવામાં આવી હોવાની જે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે તે ત્રણેય શખ્સોની સામે હાલમાં વાંકાનેર તાલુકાનાં તીથવા અને કોટડા નાયણી ગામે મૂકવામાં આવેલા બે મોબાઈલ ટાવરમાંથી કુલ મળીને ૪૮ બેટરી બેકઅપના સેલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના મૂળ રહેવાસી અને હાલમાં લાલપર નજીક વોડાફોન ટાવર ગૌતમ સિરામિક પાસે રહેતા અશોકભાઇ લાલજીભાઈ રાઠોડ (ઉંમર ૩૭) એ પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડ, તાલુકો જશદણ, કિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૯/૧ થી ૩૦/૩ સુધીના સમયગાળા દરમિયાન વાંકાનેર તાલુકાનાં તીથવા અને કોટડા નાયણી ગામે મૂકવામાં આવેલ ઇન્ડઝ કંપનીના બે મોબાઈલ ટાવરમાંથી અમરારાજા કંપનીની બેટરી બેકઅપના કુલ મળીને ૪૮ સેલ જેની કિંમત કુલ મળીને ૪૮ હજારના મુદ્દામાલની આરોપીઓએ ચોરી કરી છે જેથી અશોકભાઈ રાઠોડની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય શખ્સોની સામે બેકઅપના સેલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી