મોરબીના ભરતનગર પાસે ટ્રેઇલરના ચોરખાના-ટૂલબોક્ષમાંથી ૪૪૪ બોટલ દારૂ-૨૮૮ બિયરના ટીન સાથે એક પકડાયો
Morbi Today
વાંકાનેર કેરાળા ગામે મધમાખી કરડતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત
SHARE
વાંકાનેર કેરાળા ગામે મધમાખી કરડતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત
(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરના કેરાળામાં ઝેરી માખી કરડતા મનજીભાઈ ધરજીયા નામના વૃદ્ધ બેભાન થઇ ગયા હતા. જેમને સારવારમાં ખસેડાયા હતા. અને હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેઓનું મોત નીપજયું હતું
બનાવની મળતી માહિતી મુજબ કેરાળા ગામે રહેતા મનજીભાઈ પોલાભાઈ ધરજીયા(ઉ.૬૦) ગત રાત્રીના ઘરે સુતા હતા. ત્યારે ઝેરી માખી કરડી જતા બેભાન થઈ ગયા હતા અને પરીવારને જાણ થતા તાત્કાલીક પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. જયાં તેમનું રસ્તામાં જ મોત થયું હતું.









