મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના બગસરા ગામે પુરતા પ્રમાણમાં પાણી આપવા નવી લાઇન, સંપ અને ટાંકી બનાવવાની સરપંચે કરી માંગ


SHARE













માળીયા (મિ)ના બગસરા ગામે પુરતા પ્રમાણમાં પાણી આપવા નવી લાઇન, સંપ અને ટાંકી બનાવવાની સરપંચે કરી માંગ

માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને સમયસર લોકોને મળે તે માટે નવી લાઈન નાખવા, નવો પાણીનો સંપ અને પાણીની ઊંચી ટાંકી બનાવવા માટે ગામના મહિલા સરપંચ દ્વારા હાલમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા (મી) તાલુકાના બગસરા ગામના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા હાલમાં મોરબી જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે બગસરા ગામે પીવાના પાણીની નવી પાઇપ લાઇન નાનભેલા થી ભાવપર બાયપાસ અથવા કોઈ અન્ય નવી લાઈન ડાયરેક્ટ પાણી પહોંચે તે રીતે નાખવામાં આવે તે જરૂરી છે કારણ કે બગસરા ગામે હાલમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી અને લોકોને પાણી માટે હેરાન થવું પડે છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, વર્ષો પહેલાં ગામની અંદર સંપ અને પાણીનો ઊંચો ટાંકો બનાવ્યો હતો જે હાલમાં જર્જરિત હાલતમાં છે તે જગ્યા ઉપર નવો પાણીનો ટાંકો અને સંપ બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભાવપર ગામના નાલા પાસે હાલની પાણીની લાઇન લીકેજ હોવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે અને લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી જેથી તાત્કાલિક ગામના લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે વધુમાં એવું પણ જણાવ્યું છે કે જો ગ્રામ પંચાયતએ કોઈ લોકફાળો ભરવાનો થતો હોય તો તે ભરવા માટે પણ ગામના લોકો તૈયાર છે પરંતુ ગામમાં ઊંચી પાણીની ટાંકી, સંપ  અને નવી પાણીની લાઇન આપવામાં આવે તેવી લાગણી અને માગણી ગ્રામજનો વતી સરપંચવ્યક્ત કરે છે








Latest News