મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના બગસરા ગામે પુરતા પ્રમાણમાં પાણી આપવા નવી લાઇન, સંપ અને ટાંકી બનાવવાની સરપંચે કરી માંગ


SHARE













માળીયા (મિ)ના બગસરા ગામે પુરતા પ્રમાણમાં પાણી આપવા નવી લાઇન, સંપ અને ટાંકી બનાવવાની સરપંચે કરી માંગ

માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને સમયસર લોકોને મળે તે માટે નવી લાઈન નાખવા, નવો પાણીનો સંપ અને પાણીની ઊંચી ટાંકી બનાવવા માટે ગામના મહિલા સરપંચ દ્વારા હાલમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા (મી) તાલુકાના બગસરા ગામના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા હાલમાં મોરબી જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે બગસરા ગામે પીવાના પાણીની નવી પાઇપ લાઇન નાનભેલા થી ભાવપર બાયપાસ અથવા કોઈ અન્ય નવી લાઈન ડાયરેક્ટ પાણી પહોંચે તે રીતે નાખવામાં આવે તે જરૂરી છે કારણ કે બગસરા ગામે હાલમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી અને લોકોને પાણી માટે હેરાન થવું પડે છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, વર્ષો પહેલાં ગામની અંદર સંપ અને પાણીનો ઊંચો ટાંકો બનાવ્યો હતો જે હાલમાં જર્જરિત હાલતમાં છે તે જગ્યા ઉપર નવો પાણીનો ટાંકો અને સંપ બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભાવપર ગામના નાલા પાસે હાલની પાણીની લાઇન લીકેજ હોવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે અને લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી જેથી તાત્કાલિક ગામના લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે વધુમાં એવું પણ જણાવ્યું છે કે જો ગ્રામ પંચાયતએ કોઈ લોકફાળો ભરવાનો થતો હોય તો તે ભરવા માટે પણ ગામના લોકો તૈયાર છે પરંતુ ગામમાં ઊંચી પાણીની ટાંકી, સંપ  અને નવી પાણીની લાઇન આપવામાં આવે તેવી લાગણી અને માગણી ગ્રામજનો વતી સરપંચવ્યક્ત કરે છે






Latest News