મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં રિસામણે બેઠેલ ભત્રીજીનું છૂટું કરવાનું હોય તેનો ખાર રાખીને જમાઈ સહિત બે શખ્સોએ કાકાજી-કાકીજીને ધોકા વડે માર માર્યો


SHARE

















મોરબીમાં રિસામણે બેઠેલ ભત્રીજીનું છૂટું કરવાનું હોય તેનો ખાર રાખીને જમાઈ સહિત બે શખ્સોએ કાકાજી-કાકીજીને ધોકા વડે માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલોની સામેના ભાગમાં ઝુંપડામાં રહેતા યુવાન અને તેની પતિનીને તેની ભત્રીજીના પતિ સહિત બે શખ્સોએ ધોકા વડે હુમલો કરીને માર માર્યો હતો અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ સહિત બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી હોલની સામે ઝુંપડામાં રહેતા પ્રેમજીભાઈ કરસનભાઈ વાઘેલા જાતે દેવિપુજક (૪૫) એ હાલમાં પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનિલ પુનાભાઈ પરમાર રહે. બંને વાવડી રોડ ધુતારી નદીના કાંઠે વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની ભત્રીજીના લગ્ન સુનિલ પુનાભાઈ પરમારની સાથે થયેલા હતા અને તેની ભત્રીજી હાલમાં રિસામણે છે અને છૂટું કરવાની વાત ચાલી રહી છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તેના પાસે આવ્યા હતા અને ઝૂપડા પાસે આવીને ગાળો આપી હતી અને ત્યારબાદ પુનાભાઈ છોટુભાઈ પરમારે ધોકા વડે પ્રેમજીભાઈને માથામાં ઇજા કરી હતી અને તેના પત્ની લીલાબેનને સુનિલ પુનાભાઈ પરમારે ધોકા વડે માર માર્યો હતો અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનિલ પુનાભાઈ પરમારની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News