મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલ માતાજી મંદિરે બીજ મહોત્સવ ઉજવાશે: જૈન સોશિયલ ગ્રુપ અને બોપલીયા પરિવારના કાર્યક્રમ યોજાશે


SHARE











વાંકાનેરના હોલ માતાજી મંદિરે બીજ મહોત્સવ ઉજવાશે: જૈન સોશિયલ ગ્રુપ અને બોપલીયા પરિવારના કાર્યક્રમ યોજાશે

વાંકાનેરના જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવવામાં આવશે. તેના માટેની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે અને શ્રીહોલ માતાજીનો ૧૫ મો વાર્ષિક બીજ મહોત્સવ તા. ૨ ને સોમવારે મંદિરે ઉજવાશે. જેમાં ધ્વજારોહણ, ચંડી યજ્ઞ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તકે સંતો-મહંતો હાજર રહેશે અને ભક્તો માટે મહાપ્રસાદ બંને સમયમાં અવિરત ચાલુ રહેશે. જેથી આ કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે

જૈન સોશિયલ ગ્રુપ

મોરબીના જૈન સોશિયલ ગ્રુપના ૪૧ વર્ષ પૂરા થાય છે અને સંગિની ફોરમને ૭ વર્ષ પૂરા થાય છે જેથી કરીને રવિવારના રોજ જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ નીતિનભાઈ ડી. મહેતા અને સંગિની ફોરમના પ્રમુખ જીજ્ઞાબેન જે. શાહ તથા તેમની ટીમનો શપથવિધિ સમારોહ યોજાશે. અને આ કાર્યક્રમ ઉમા ટાઉનશીપ ખાતે સાંજે ૫ વાગ્યે યોજાનાર છે જેમાં રીજીયન ચેરમેન ડો. ચેતનભાઈ વોરા ઉપસ્થિત રહેશે તે ઉપરાંત ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ મનિષભાઈ દોશી તથા રીજીયન ચેરમેન કાર્તિકભાઈ શાહ પણ હાજર રહેશે આ ઉપરાંત માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાઈન્સ ક્લબ ઈન્ટરનેશનલના પૂર્વ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી, સૌરાષ્ટ્ર રીજીયનના સેક્રેટરી નિલેશભાઈ કોઠારી પણ ઉપસ્થિત રહેશે.

બોપલીયા પરિવાર

ઓમનગર (નવા ખારચીયા) ખાતે તા ૧૪ ના રોજ સમસ્ત બોપલીયા પરિવાર દ્વારા કુળદેવી  બહુચરાજી માતાજીના મંદિરે ૨૦ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક વિધિ કરવામાં આવશે આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે કુલદીપભાઈ ભગવાનજીભાઈ બોપલીયા (બગથળા) અને તેમના પત્ની વંદનાબેન કુલદીપભાઈ બોપલીયા રહેશે. અને બપોરે ૧૧:૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા ૧૩ ના રોજ રાતે માતાજીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News