મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલ માતાજી મંદિરે બીજ મહોત્સવ ઉજવાશે: જૈન સોશિયલ ગ્રુપ અને બોપલીયા પરિવારના કાર્યક્રમ યોજાશે


SHARE

















વાંકાનેરના હોલ માતાજી મંદિરે બીજ મહોત્સવ ઉજવાશે: જૈન સોશિયલ ગ્રુપ અને બોપલીયા પરિવારના કાર્યક્રમ યોજાશે

વાંકાનેરના જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવવામાં આવશે. તેના માટેની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે અને શ્રીહોલ માતાજીનો ૧૫ મો વાર્ષિક બીજ મહોત્સવ તા. ૨ ને સોમવારે મંદિરે ઉજવાશે. જેમાં ધ્વજારોહણ, ચંડી યજ્ઞ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તકે સંતો-મહંતો હાજર રહેશે અને ભક્તો માટે મહાપ્રસાદ બંને સમયમાં અવિરત ચાલુ રહેશે. જેથી આ કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે

જૈન સોશિયલ ગ્રુપ

મોરબીના જૈન સોશિયલ ગ્રુપના ૪૧ વર્ષ પૂરા થાય છે અને સંગિની ફોરમને ૭ વર્ષ પૂરા થાય છે જેથી કરીને રવિવારના રોજ જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ નીતિનભાઈ ડી. મહેતા અને સંગિની ફોરમના પ્રમુખ જીજ્ઞાબેન જે. શાહ તથા તેમની ટીમનો શપથવિધિ સમારોહ યોજાશે. અને આ કાર્યક્રમ ઉમા ટાઉનશીપ ખાતે સાંજે ૫ વાગ્યે યોજાનાર છે જેમાં રીજીયન ચેરમેન ડો. ચેતનભાઈ વોરા ઉપસ્થિત રહેશે તે ઉપરાંત ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ મનિષભાઈ દોશી તથા રીજીયન ચેરમેન કાર્તિકભાઈ શાહ પણ હાજર રહેશે આ ઉપરાંત માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાઈન્સ ક્લબ ઈન્ટરનેશનલના પૂર્વ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી, સૌરાષ્ટ્ર રીજીયનના સેક્રેટરી નિલેશભાઈ કોઠારી પણ ઉપસ્થિત રહેશે.

બોપલીયા પરિવાર

ઓમનગર (નવા ખારચીયા) ખાતે તા ૧૪ ના રોજ સમસ્ત બોપલીયા પરિવાર દ્વારા કુળદેવી  બહુચરાજી માતાજીના મંદિરે ૨૦ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક વિધિ કરવામાં આવશે આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે કુલદીપભાઈ ભગવાનજીભાઈ બોપલીયા (બગથળા) અને તેમના પત્ની વંદનાબેન કુલદીપભાઈ બોપલીયા રહેશે. અને બપોરે ૧૧:૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા ૧૩ ના રોજ રાતે માતાજીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News