ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ


SHARE













મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી તાલુકાના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છેલ્લા દિવસ દરમ્યાન યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવશે તેમજ રાત્રિના સમયે આરએસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સંતો-મહંતો, આગેવાનો સહિતના લોકો હાજરી આપશે

મોરબી તાલુકાના રાપર તથા સુલતાનપુર ગામે રહેતા દસાડિયા પરિવાર દ્વારા રાપર ગામે ત્રિદિવસીય મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કાર્યક્રમોની વણઝાર પણ રાખવામાં આવે છે ત્યારે માતાજી જગદંબા, ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજની મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે મોરબી નાની વાવડી ગામે આવેલ કબીરધામના મહંત શિવરામદાસજી હાજર રહેશે, તા. ૮ ના રોજ લજાઇના મહંત રંજનરામ માતાજી અને સાથે મહંત મુન્નાબાપુ (સુસવાવ) પણ હાજરી આપશે તેવું જાણવા મળેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૬ ની રાત્રે રાપર અને સુલતાનપુર ગામનું મંડળ રાસ-ગરબાની રમઝટ બોલાવશે તા ૭ના રોજ રાત્રીના સમયે રાસ ગરબામાં સંગીતાબેન મકવાણા અને કૈલાસ પૂરી જમાવટ કરશે તો તા.૮ ના રોજ રાતે ૯ વાગ્યે હરખના માંડવાનું આયોજન કર્યું છે જેમાં ડાકના કલાકાર નારણભાઈ રાવલ (સુરેન્દ્રનગર) હાજર રહેવાના છે આ કાર્યક્રમની અંદર હાજર રહેવા માટે દસાડીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News