મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ


SHARE











મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી તાલુકાના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છેલ્લા દિવસ દરમ્યાન યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવશે તેમજ રાત્રિના સમયે આરએસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સંતો-મહંતો, આગેવાનો સહિતના લોકો હાજરી આપશે

મોરબી તાલુકાના રાપર તથા સુલતાનપુર ગામે રહેતા દસાડિયા પરિવાર દ્વારા રાપર ગામે ત્રિદિવસીય મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કાર્યક્રમોની વણઝાર પણ રાખવામાં આવે છે ત્યારે માતાજી જગદંબા, ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજની મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે મોરબી નાની વાવડી ગામે આવેલ કબીરધામના મહંત શિવરામદાસજી હાજર રહેશે, તા. ૮ ના રોજ લજાઇના મહંત રંજનરામ માતાજી અને સાથે મહંત મુન્નાબાપુ (સુસવાવ) પણ હાજરી આપશે તેવું જાણવા મળેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૬ ની રાત્રે રાપર અને સુલતાનપુર ગામનું મંડળ રાસ-ગરબાની રમઝટ બોલાવશે તા ૭ના રોજ રાત્રીના સમયે રાસ ગરબામાં સંગીતાબેન મકવાણા અને કૈલાસ પૂરી જમાવટ કરશે તો તા.૮ ના રોજ રાતે ૯ વાગ્યે હરખના માંડવાનું આયોજન કર્યું છે જેમાં ડાકના કલાકાર નારણભાઈ રાવલ (સુરેન્દ્રનગર) હાજર રહેવાના છે આ કાર્યક્રમની અંદર હાજર રહેવા માટે દસાડીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News