વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં થયેલ ૧.૪૧ લાખની લુંટના બનાવમાં બે ઇસમોને ગણતરીના કલાકોમાં એસઓજીએ મુદામાલ સાથે ઝડપી પાડયા


SHARE









ટંકારામાં થયેલ ૧.૪૧ લાખની લુંટના બનાવમાં બે ઇસમોને ગણતરીના કલાકોમાં એસઓજીએ મુદામાલ સાથે ઝડપી પાડયા

 

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા ગામ નજીકથી બાઈકમાં જતા યુવાનના પાસે રહેલ સ્કુલબેગ જેવા થૈલાને ઝુંટવીને ૧.૪૧ લાખની બે અજાણ્યા શખ્સો લુંટ ચલાવીને ફરાર થઇ જતા ભોગ બનેલા યુવાન દ્રારા બે ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને આધારે ગણતરીના કલાકોમાં મોરબી જિલ્લા એસઓજીના સ્ટાફને મળેલ બાતમીના આધારે બે લૂંટારૂઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

 

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ચોરી (લુંટ) ના ગુનાના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ તેથી એસઓજી પીઆઅ જે.એમ.આલ સહીતનો સ્ટાફ બનાવ અનુસંધાને પેટ્રોલીગમાં હોય દરમ્યાનમાં એસઓજીના શેખાભાઇ મોરી તથા ભાવેશભાઇ મિયાત્રાને મળેલ ચોક્કસ બાતમીને આધારે બે ઈસમો દીવ્યેશ ભગવાનજીભાઇ હણ જાતે રબારી (ઉ.વ .૧૯) રહે.નવાગામ તા.જી.મોરબી તથા સંજયભાઇ નાથાભાઇ પડસારીય જાતે ભરવાડ (ઉ.વ .૧૯) રહે.નવાગામ તા.જી.મોરબીને ચોરીમાં ગયેલ મુદામાલ રોકડા રૂપીયા .૧,૪૧,૦૦૦ તથા બનાવમાં વપરાયેલ એક્સેસ સ્કુટર કિંમત રૂા.૩૦,૦૦૦ સાથે પકડી પાડયા હતા અને આગળની કાર્યવાહી માટે બંને આરોપી તથા મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.ઉપરોકત કામગીરી એસઓજી પીઆઇ જે.એમ.આલ તથા સ્ટાફના સબળસિંહ સોલંકી, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, સતીષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા તથા અશ્વિનભાઇ લોખીલ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.






Latest News