ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર


SHARE













માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર

મોરબી માળીયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી હતી ત્યારે લોકોનો ખૂબ જ સારો આવકાર મળ્યો હતો અને ઘણા લોકો આપમાં જોડાયા પણ હતા ત્યારે માળીયા શહેરમાં રેલી અને બાદમાં જસાપર ગામે જન સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ગામના આગેવાન તેમજ માળિયા તાલુકા પ્રમુખ હીરાભાઈ કાનગડ સહિતના ગામના લોકોએ યાત્રાને ઉમેળકાભેર આવકારી હતી અને ગામના ચોરે રામજી મંદિર ખાતે નેતાઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે આમ આદમી પાર્ટી કૈલાશભાઈ ગઢવી, રાજુભાઇ કરપડા, ગોવિંદભાઇ વાલાણી, શિવાજીભાઈ ડાંગર, વસંતભાઈ ગોરીયા સહિત હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, નાની વાવડી ગામે રાત્રીના જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઘણા ગ્રામજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

નિવૃત પોલીસ કર્મચારી આપમાં જોડાયા

મોરબી જીલ્લામાં પરીવર્તન યાત્રા સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતના આવ્યા હતા ત્યારે જીલ્લા પ્રભારી શિવાજી ડાંગર, જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકાના જશાપર ગામના વતની અને નિવૃત પોલીસ કર્મચારી હીરાભાઈ નારસંગભાઈ કાનગડ માળિયા તાલુકા પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે






Latest News