મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર


SHARE













માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર

મોરબી માળીયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી હતી ત્યારે લોકોનો ખૂબ જ સારો આવકાર મળ્યો હતો અને ઘણા લોકો આપમાં જોડાયા પણ હતા ત્યારે માળીયા શહેરમાં રેલી અને બાદમાં જસાપર ગામે જન સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ગામના આગેવાન તેમજ માળિયા તાલુકા પ્રમુખ હીરાભાઈ કાનગડ સહિતના ગામના લોકોએ યાત્રાને ઉમેળકાભેર આવકારી હતી અને ગામના ચોરે રામજી મંદિર ખાતે નેતાઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે આમ આદમી પાર્ટી કૈલાશભાઈ ગઢવી, રાજુભાઇ કરપડા, ગોવિંદભાઇ વાલાણી, શિવાજીભાઈ ડાંગર, વસંતભાઈ ગોરીયા સહિત હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, નાની વાવડી ગામે રાત્રીના જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઘણા ગ્રામજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

નિવૃત પોલીસ કર્મચારી આપમાં જોડાયા

મોરબી જીલ્લામાં પરીવર્તન યાત્રા સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતના આવ્યા હતા ત્યારે જીલ્લા પ્રભારી શિવાજી ડાંગર, જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકાના જશાપર ગામના વતની અને નિવૃત પોલીસ કર્મચારી હીરાભાઈ નારસંગભાઈ કાનગડ માળિયા તાલુકા પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે




Latest News