વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ
SHARE
વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં રહેતા અમરજીતસિંહ જીતુભા ઝાલાએ વાંકાનેર પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે, રાજશકિત પેટ્રોલપંપ થાન રોડ ખાતે ઓરિસ્સાનો એક અજાણ્યો માણસ ફકત ચડી પેહેરેલ છે તેવી હાલત છે. અને માનસીક બીમાર હોય તેવું લાગે છે જેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લઇ આવતા તેની પાસેથી એક આધારકાર્ડ તથા મોબાઇલનં વાળી કાપલી મળી આવેલ હતી જેમાં તેનુ નામ કાલીચરણ નેત્રાનંદ નાયક (૩૨) રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તાલુકો મોરબી મુળ ગામ ગોવિંદપુર તાલુકો ઉદાલા ઓરીસ્સા વાળો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે તે યુવાનના મામા ઉપેન્દ્ર શ્યામસુન્દર નાયક રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી વાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મામા તથા સગા સબધીને કાલીચરણ નેત્રાનંદ નાયક વતનમા લઇ જવા માટે સોપી આપેલ છે આ કામગીરીમા પીઆઇ એન.એ.વસાવા, યશપાલસિંહ, ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા જગદીશભાઇ ચીકાભાઇ ગાબુ વિગેરે જોડાયેલ હતા









