મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ
Breaking news
Morbi Today

“વાહ રે વિકાસ ?”: મોરબી જિલ્લામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ છ માહિનામાં તૂટી ગયો !


SHARE













“વાહ રે વિકાસ ?”: મોરબી જિલ્લામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ માહિનામાં તૂટી ગયો !

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક નિર્માણ યોજના હેઠળ બનાવવામાં આવેલ છે આ રોડ નબળો બનાવ્યો હોવાથી સરપંચ સહિતના લોકોમાં રોષની લાગણી છે અને આ ગામના સરપંચની આગેવાનીમાં જીલ્લા પંચાયતમાં આવેદન પત્ર પાઠવીને રોડ રીપેર કરવાની માંગ કરવામાં આવી છે તેમજ રોડ ગણતરીના મહિનાઓમાં જ તૂટી ગયો હોવાથી માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીની ઘોર બેદરકારી હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો છે

વાંકાનેર તાલુકાનાં કોટડાનાયાણી ગામના સરપંચ રતનબા વિજયસિંહ જાડેજા અને ગ્રામજનો ગઇકાલે જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર પાઠવાયું હતું જેમાં લખ્યું છે કે, કોટડાનાયાણીથી વાલાસણ ગામ વચ્ચે રોડ છ માસ પહેલા જ બનાવવામાં આવેલ છે ત્યાં તે રોડ ઉપરથી ડામર અને કાંકરી છૂટા પડી ગયા છે અને રોડની સાઈડ બાંધેલ નથી જેથી કપચી અલગ પડેલ છે અને ૧૫૦ એમ.એમ. જી.એસ.બી. નાખવાની હતી જે રોડ ૬ કિમીનો થાય તેના બદલે માત્ર ગુણવંતરાયની વાડીથી મહેન્દ્રસિંહની વાડી સુધી જી.એસ.બી નાખેલ છે માત્ર અડધા કીમીમાં જીએસબી નાખેલ છે બાકી સાડા પાંચ કીમીમાં ક્યાય જીએસબી નાખી નથી અને ૫૦ એમ.એમ. ડામર પાણા નાખવાના હતા તે નાખેલ નથી માટીકામ થયેલ નથી તેમજ રોડમાં ૨૦ એમ.એમ.ના બદલે ૧૦ એમ.એમ.ની બી ટૂ મીનસ કાર્પેટ બનાવી નાખેલ છે અને ડામર ઓરીજીનલ નથી જે ખામીઓને કારણે રોડ છ માહિનામાં તૂટી ગયો છે આમ રીસર્ફેસિંગ ઓફ વાલાસણ ટૂ કોટડાનાયાણી એપ્રોચ રોડ ૧.૬૬ કરોડના ખર્ચે મંજુર થયેલ છે જે રોડનું કામ નબળું કરવામાં આવ્યું છે માટે રોડને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીએ સ્થળ મુલાકાત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવા માટે આવેલા લોકોને ખાતરી આપી છે જો કે, રોડ રીપેર કરવામાં આવશે કે કેમ અને બેદરકાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો સમય જ બતાવશે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News