મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી


SHARE













વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી

હાલમાં ગાય/ભેંસમાં નવો રોગ લમ્પી સ્કીન ડીસીઝ-ગાંઠદાર ચામડીનો રોગ વધુ જોવા મળી રહયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેર તાલુકાની તો આ તાલુકામાં ૬૦ જેટલા લમ્પીના કેસ નોંધાયા છે જે ઢોરને લમ્પીનો રોગ છે તેની સારવાર ચાલી રહી છે સાથોસાથ તાલુકામાં ૭૦૦૦ જેટલા ઢોરને રસી પણ મૂકવામાં આવી છે

અત્યાર સુધી મોરબી જિલ્લાના ૮૫ જેટલા ગામમાં ૨૬૭ પશુઓમાં લમ્પી રોગ જોવા મળ્યો છે. અને દિન પ્રતિદિન કેસ મળી રહ્યા છે ત્યારે જો વાંકાનેર તાલુકાની વાત કરીએ તો આજની તારીખે આ તાલુકામાં ૬૦ થી વધુ કેસ છે અને હજુ પણ કેસ વધે તેવી શ્ક્યતા છે ત્યારે ૧૯૬૨ - મોબાઈલ પશુ દવાખાના તેમજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર ઢોરની સારવાર કરવામાં આવી રહી છે. અને પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ કરવામાં આવી રહી છે પશુપાલન વિભાગ દ્વારા પશુઓને સુરક્ષિત બનાવવા કવાયત કરવામાં આવી રહી છે ખાસ કરીને જે વિસ્તારમાં વધુ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન તેમજ સારવાર ઝડપી મળી રહે તે માટે પશુપાલન વિભાગ અને મોબાઈલ પશુ દવાખાના તથા કરૂણા એમ્યુલન્સ સહિતની ટીમ ખડે પગે રહે છે. આ રોગ માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી, પશુમાં આ બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુરંત જ સારવાર માટે નજીકના દવાખાનમાં કે હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ ને જાણ કરવા માટે જણાવ્યુ છે






Latest News