મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ પડતાં જુગારીઓના નાશભાગ: ૩.૧૫ લાખના મુદામાલ સાથે ૭ ઝડપાયા, ૩ ફરાર


SHARE







વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ પડતાં જુગારીઓના નાશભાગ : ૩.૧૫ લાખના મુદામાલ સાથે ૭ ઝડપાયા, ૩ ફરાર

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિતના જુગાર રમતા શખ્સોમાંથી ત્રણ જુગારી નાશી છૂટ્યા હતા જો કે, સાત જુગારીને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન મળીને ૩,૧૫,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.(Jugar, glembing) Whakaner-MORBI

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા કિશનભાઇ પ્રેમજીભાઈ અંબાસણીયાના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની બાતમી સ્ટાફના મયુરધ્વજસિંહ જાડેજા તથા હરીશચંદ્રસિંહ ઝાલાને મળી હતી જેના આધારે પીએસઆઅ આર.એ.જાડેજા સહીતના પોલીસ સ્ટાફે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને તકનો લાભ લઈને ઘરધણી કિશનભાઇ પ્રેમજીભાઈ અંબાસણીયા, દેવજીભાઈ રામસંગ રીબડીયા અને ગોવિંદભાઈ ગિરધરભાઈ સરાવાડીયા સ્થળ ઉપરથી નાસી છુટ્યા હતા જોકે પોલીસે ઘરની અંદર જુગાર રમતા શખ્સોમાંથી જીતુ ઉર્ફે જીતો લાખાભાઈ વીરસોડિયા, ઉમેશભાઈ ઉર્ફે લાલો વેલજીભાઈ બાવરવા, ધનજીભાઈ દિનેશભાઈ ઉકેડીયા, ભરતભાઈ ઉર્ફે મુન્નો ભગવાનજીભાઈ જિંજવાડીયા, મહેશભાઈ ઝીણાભાઈ મેરજીયા, વિવેકભાઈ દિનેશભાઈ ડોડીયા અને દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશ શર્માની ધરપકડ કરેલ છે અને તેમની પાસેથી ૬૦,૦૦૦ રૂપિયા રોકડા, ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૧૦ મોબાઇલ ફોન તેમજ બે લાખ પાંચ હજાર રૂપિયાની કિંમતના વાહનો આમ કુલ મળીને ૩,૧૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં જુગારધારા હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને નાસી છૂટેલા ઘરધણી સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News