મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ


SHARE











ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લંપી વાયરસના કારણે ઘણા દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા છે અને ઘણા પશુઓ હાલમાં સારવાર હેઠળ છે ત્યારે માલધારીઓની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે જેથી કરીને ગુજરાત માલધારી સેના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને લંપી વાયરસના કારણે દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા હોય તેની સામે પશુપાલકોને સહાય આપવામાં આવે અને આ રોગને કાબૂમાં લેવા માટે થઈને નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના સનાળા ગામ પાસેથી રાજપર રોડ ઉપર જવાના રસ્તે રહેતાં ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ આંબાભાઈ રબારી દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે, લંપી વાયરસના કારણે હાલમાં મોરબી તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અનેક દુધાળા પશુઓ છેલ્લા દિવસોમાં મૃત્યુ પામ્યા છે અને ઘણા અસરગ્રસ્ત અબોલ જીવા હાલમાં સારવાર હેઠળ છે જેથી માલધારીની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે અને દુધાળા પશુઓના મૃત્યુ થવાના કારણે તેઓની આજીવિકાનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ત્યારે પશુપાલકોને દૂધાળા પશુ મૃત્યુ પામેલ હોય તો તાત્કાલિક સરકાર તરફથી સહાય ચુકવવામાં આવે અને હાલમાં જે લંપી વાયરસ સમગ્ર ગુજરાતમાં બેકાબૂ છે તેને કાબૂમાં લેવા માટે થઈને નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં માલધારીઓની મુશ્કેલી વધી શકે તેમ છે તેવું હાલમાં ધર્મેશભાઈ રબારીએ જણાવ્યું છે






Latest News