મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ


SHARE













છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરાયેલ હોય ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢણીયા તેમજ સ્ટાફ પ્કયત્નશીલ હતો તે દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ-૨૦૧૬ માં આઇપીસી કલમ -૩૬૩, ૩૬૬ (અપહરણ) અને એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫) ના ફરાર આરોપી ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામી  જાતે બાવાજી (ઉ.વ.૩૦) રહે. ગામ જહાંગીરપુર, તહસીલ બડોદ, જી, અગર, મધ્યપ્રદેશ વાળો મધ્યપ્રદેશના જહાગીરપુર ગામે હોવાની બાતમી મળેલ જેને આધારે એક ટીમ બનાવીને આરોપી બાબતે તપાસ કરવા રવાના કરેલ હોય જેથી પીએસઆઇ વી.કે.કોઠીયા તથા ટીમના માણસોએ મધ્યપ્રદેશના બડોદ તાલુકાના જહાંગીરપુર ખાતે જઇ તપાસ કરતા છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામા ફરાર ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીઆઇ ગોઢાણીયા, પીએસઆઇ કોઠીયા તથા સ્ટાફના દિલીપભાઇ ડેડાણી, જયપાલસિંહ ઝાલા તથા યશવંતસિંહ ઝાલા દ્રારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News