મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ


SHARE













છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરાયેલ હોય ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢણીયા તેમજ સ્ટાફ પ્કયત્નશીલ હતો તે દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ-૨૦૧૬ માં આઇપીસી કલમ -૩૬૩, ૩૬૬ (અપહરણ) અને એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫) ના ફરાર આરોપી ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામી  જાતે બાવાજી (ઉ.વ.૩૦) રહે. ગામ જહાંગીરપુર, તહસીલ બડોદ, જી, અગર, મધ્યપ્રદેશ વાળો મધ્યપ્રદેશના જહાગીરપુર ગામે હોવાની બાતમી મળેલ જેને આધારે એક ટીમ બનાવીને આરોપી બાબતે તપાસ કરવા રવાના કરેલ હોય જેથી પીએસઆઇ વી.કે.કોઠીયા તથા ટીમના માણસોએ મધ્યપ્રદેશના બડોદ તાલુકાના જહાંગીરપુર ખાતે જઇ તપાસ કરતા છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામા ફરાર ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીઆઇ ગોઢાણીયા, પીએસઆઇ કોઠીયા તથા સ્ટાફના દિલીપભાઇ ડેડાણી, જયપાલસિંહ ઝાલા તથા યશવંતસિંહ ઝાલા દ્રારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News