મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી


SHARE











મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી

મોરબીની શાન ગણાતો નહેરૂગેઇટ ટાવર ઉપરથી થોડા દિવસો પહેલા પોપડું પડ્યું હતું અને ટાવર જર્જરીત હોવાથી લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને કોઈના જીવ ઉપર જોખમ ઉભું ન થાય તે માટે જરૂરી સમારકામ કરવા માટે મોરબીના સામાજીક કાર્યકરોએ રજૂઆત કરેલ છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ ચીફ ઓફિસર અને કલેકટર લેખિત રજુઆત કરી છે કે, નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડુ પડ્યું હતું જેમાં એક મહિલાને ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડવામા આવી હતી અને આગામી દિવસોમાં જો આવી જ રીતે જર્જરીત ટાવરમાંથી પોપડા પડે તો કોઈનો જીવ જવાની દશેત છે જેથી કરીને યોગયા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને દેશ વિદેશમાં વખણાતા મોરબીની આન બાન શાન સમા નહેરૂ ગેઇટ હાલમાં ખંઢેર છે તેનું રીપેરીંગ કરવું અનિવાર્ય છે






Latest News