મોરબીમાં શહેર યુવા ભાજપ અને વાંકાનેરમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
SHARE
મોરબીમાં શહેર યુવા ભાજપ અને વાંકાનેરમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
આઝાદી કા અમૃત મહોત્સવ “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ મોરબીમાં તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આવી જ રીતે વાંકાનેરમાં ભાજપ દ્વારા તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી મહાવીરસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મોરબી નગરપાલિકા ચેરમેન ભાવિકભાઈ જારીયા, મોરબી શહેર યુવા ભાજપ પ્રભારી ડી.ડી. જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ અગ્રણી જયપાલસિંહ રાઠોડ, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરુણભાઈ રામાવત, જયેશભાઇ ડાભી, મિતુલભાઈ ધ્રાંગા, રવિભાઈ રબારી, રાહુલભાઈ હુંબલ, યુવા ભાજપ મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરીયા, રાજેશભાઈ, ધવલભાઈ ત્રિવેદી, સિદ્ધરાજસિંહ ઝાલા, શિવરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ ભટ્ટ, જયભાઈ પાટડિયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા આવી જ રીતે વાંકાનેરમાં તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરના મહારાજ કેશરિદેવસિંહજી ઝાલા તેમજ વાંકાનેર શહેર ભાજપ, વાંકાનેર તાલુકા ભાજપ, વાંકાનેર શહેર યુવા ભાજપ અને વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા