મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક પ્રાગજીભાઈ બાવરવા શ્રાવણમાસ નિમિત્તે જુનાગઢ વિશ્વંભર મહાદેવના સાનિધ્યમાં


SHARE













મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક પ્રાગજીભાઈ બાવરવા શ્રાવણમાસ નિમિત્તે જુનાગઢ વિશ્વંભર મહાદેવના સાનિધ્યમાં

"ગીર તળેટીને કુંડ દામોદર...ભવનાથે ભોળો શિવ, ભવસાગર પાર ઉતારજો..તારે શરણે આવે જે જીવ." મોરબીના નવલખી રોડ કુબેરનગર વિસ્તારમાં આવેલ શ્રી ત્રિલોકધામ મંદિરના સ્થાપક અને ઉમા રિસોર્ટ ચલાવતા તેમજ કલામંદિર થકી વિવિધ ધાર્મિક કલાત્મક મૂર્તિઓ બનાવવાનું કામકાજ કરતા પ્રાગજીભાઈ બાવરવા શરૂઆતથી ધાર્મિકવૃતિ ધરાવતા હોય તેઓ દ્વારા શહેરમાં બેનમૂન કહી શકાય તેવા તેમજ જોવા ફરવા લાયક સ્થળ એવા ત્રિલોકધામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ આ પ્રકારે ભગવાનની અનેક મૂર્તિઓ બનાવવા માટે કલામંદિર તરીકે કામકાજ શરૂ કર્યું અને હાલ ઉમારીસોર્ટમાં પણ તેઓ કાર્યરત છે.છેલ્લા પંદર વર્ષથી તેઓ દર શ્રાવણ મહિને કોઈને કોઈ જગ્યાએ આખો મહિનો રોકાઈને શિવ અનુષ્ઠાન કરતા હોય છે.તે રીતે જ આ વર્ષે તેઓ જુનાગઢ ખાતે આવેલ વિશ્વંભર મહાદેવ કે જ્યાં જુનાગઢના એકમાત્ર સ્ફટિકના શિવલિંગ આવેલા છે ત્યાં રહીને સમગ્ર મહિના દરમિયાન શિવ આરાધના કરવામાં આવી રહી છે.

મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક પ્રાગજીભાઈ બાવરવા હાલ મોરબીથી ગિરનારની ગોદમાં કે જયાં ૮૪ સિધ્ધ અને નવનાથના બેસણા છે તેવા ગરવા ગિરનારની ગોદમાં આવેલ અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ વિશ્વંભર ભારતી મહારાજ અને રાષ્ટ્રીય સંત ગણાતા મોરારીબાપુના હસ્તે શ્રી ભારતી આશ્રમ જુનાગઢ ખાતે તા.૨૬-૨-૨૦૦૬ ના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી વિશ્વંભર મહાદેવની સ્ફટિકના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ફક્ત જૂનાગઢમાં આ એક જ જગ્યાએ સ્ફટાકના શિવલીંગ હોય તેનો અનેરો મહિમા છે એટલા માટે જ શ્રી વિશ્વંભર મહાદેવના સાનિધ્યમાં શ્રવણ માસનો એક મહિનો શિવ અનુષ્ઠાન કરવા માટે તેઓ ત્યાં રોકાયેલા છે.મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક અને ઉમા રિસોર્ટવાળા પ્રાદજીભાઇ આમ તો વર્ષ ૨૦૦૭ થી અનુષ્ઠાન કરી રહ્યા છે છેલ્લા ૧૫ વર્ષથી દર શ્રાવણમાસમાં શિવ અનુષ્ઠાન કરતા હોય છે માટે આ વર્ષે સિદ્ધ સંતોની ભૂમિ ગણાતા જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમના શ્રી વિશ્વંભર મહાદેવ ખાતે તેઓએ શિવ અનુષ્ઠાન કરવા માટે આખો મહિનો અહિં રોકાયા છે અને મહાદેવની સેવા પૂજા તેઓ કરી રહ્યા છે.જ્યાં હજારો શિવ ભક્તો દરરોજ જય ભોલેનાથ.. હર હર મહાદેવના નાદથી તળેટીને ગુંજાવી રહ્યા છે એ જગ્યાએ સમગ્ર શ્રાવણમાસ મહાદેવની સેવા પૂજા કરવાનું તેઓને સૌભાગ્ય પ્રાપ્ત થયું જે બદલ તેઓ પોતાની જાતને ધન્યતા અનુભવે છે.






Latest News