આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં લોકસંપર્ક યોજી રાજ્યમંત્રી બ્રિજેશભાઈએ અધિકારીઓને પ્રશ્ન ઉકેલવા આપી સૂચના


SHARE













મોરબીમાં લોકસંપર્ક યોજી રાજ્યમંત્રી બ્રિજેશભાઈએ અધિકારીઓને પ્રશ્ન ઉકેલવા આપી સૂચના

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકસંપર્ક યોજ્યો હતો. જે અન્વયે દલિત સમાજના અગ્રણીશ્રી જેઠાભાઈ પારઘી સહિત અનુસૂચિત જાતિના પ્રતિનિધિ મંડળ દ્વારા સમાજ માટે જમીન આપવા બાબત કરેલી રજૂઆત, ઝીકીયાળી ગામના અગ્રણી રમેશભાઈ ભારીયા તથા મુન્નાભાઈ, દિનેશભાઈ વગેરેએ ગોકુળિયા રસ્તાનું કામ તેમજ ઘોડાધ્રોઈ જવાના રસ્તાનું કામ, સસ્તા અનાજની દુકાન શરૂ કરવા, પીજીવીસીએલ વિભાગ હેઠળ ખેતરોમાં વીજળી આપવા માટેના ખૂટતા સ્ટાફની માંગણી તેમજ મોરબી માળિયા તાલુકામાં સતત વરસાદના કારણે જ્યાં વાવણી નથી થઈ ત્યાં ખેડૂતોને સહાય આપવા વગેરે બાબતોએ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો મંત્રીએ ધ્યાને લઈ સંબંધિત મહેસુલ વિભાગના અધિકારીઓ, અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સિંચાઈ, નર્મદા વિદ્યુત બોર્ડના ઇજનેર જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ યોગ્ય સમય મર્યાદામાં આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.






Latest News