રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં લોકસંપર્ક યોજી રાજ્યમંત્રી બ્રિજેશભાઈએ અધિકારીઓને પ્રશ્ન ઉકેલવા આપી સૂચના


SHARE









મોરબીમાં લોકસંપર્ક યોજી રાજ્યમંત્રી બ્રિજેશભાઈએ અધિકારીઓને પ્રશ્ન ઉકેલવા આપી સૂચના

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકસંપર્ક યોજ્યો હતો. જે અન્વયે દલિત સમાજના અગ્રણીશ્રી જેઠાભાઈ પારઘી સહિત અનુસૂચિત જાતિના પ્રતિનિધિ મંડળ દ્વારા સમાજ માટે જમીન આપવા બાબત કરેલી રજૂઆત, ઝીકીયાળી ગામના અગ્રણી રમેશભાઈ ભારીયા તથા મુન્નાભાઈ, દિનેશભાઈ વગેરેએ ગોકુળિયા રસ્તાનું કામ તેમજ ઘોડાધ્રોઈ જવાના રસ્તાનું કામ, સસ્તા અનાજની દુકાન શરૂ કરવા, પીજીવીસીએલ વિભાગ હેઠળ ખેતરોમાં વીજળી આપવા માટેના ખૂટતા સ્ટાફની માંગણી તેમજ મોરબી માળિયા તાલુકામાં સતત વરસાદના કારણે જ્યાં વાવણી નથી થઈ ત્યાં ખેડૂતોને સહાય આપવા વગેરે બાબતોએ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો મંત્રીએ ધ્યાને લઈ સંબંધિત મહેસુલ વિભાગના અધિકારીઓ, અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સિંચાઈ, નર્મદા વિદ્યુત બોર્ડના ઇજનેર જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ યોગ્ય સમય મર્યાદામાં આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.






Latest News