મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કારખાનામાં આતંક મચાવનારા બે કોન્ટ્રાક્ટરની ધરપકડ
SHARE
મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કારખાનામાં આતંક મચાવનારા બે કોન્ટ્રાક્ટરની ધરપકડ
મોરબીના સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવામાં આવ્યો હતો ત્યાર બાદ કોન્ટ્રાક્ટર કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવ્યો હતો અને કારખાનાના માલિકને માર માર્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ઇજાગ્રસ્ત કારખાનેદારના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે
મોરબીના સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાક્ટર રણબીરસિંગ જાટ અને યોગેન્દ્રસિંગ જાટ રહે. રંગપર વાળાને કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેનો રોષે રાખીને કોન્ટ્રાકટરે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવીને શનિવારે સાંજે આંતક મચાવ્યો હતો અને કારખાનના સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. જેથી પ્રકાશભાઇ નરભેરામભાઇ બારૈયા જાતે પટેલ (૩૨)ની ફરિયાદ લઈને પોલીસે રણદીપસિંગ જાટ તથા યોગેન્દ્રસીંગ જાટ રહે. બન્ને રંગપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં રણદીપસિંગ પરમજીતસિંહ જટ્ટ જાતે સરદારજી (૪૧) અને યોગેન્દ્રસિંગ સંદીપસિંગ જટ્ટ જાતે સરદારજી રહે. હાલ રંગપર વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે