મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ


SHARE











મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની જરૂર છે ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન અને કૃભકો ન્યુ દિલ્હીના ડાયરેકટર મગનલાલ વડાવિયાએ રાજયના ડેપ્યુટી સીએમ નિતીનભાઇ પટેલને લેખીત રજુઆત કરેલ છે.

મોરબી તાલુકાના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડમાં આવતા કુલ ૧૪ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.આ વર્ષે ચોમાસુ પાક બહુ જ સારો થયેલ છે. હાલમાં વરસાદ ખેંચાતા આ પાક નિષ્ફળ જાય તેમ છે. તો હાલમાં મચ્છુ-ર ડેમમાંથી કમાન્ડ એરીયામાં આવતા ખેડૂતોને એક પાણ આપવામાં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જતો અટકી શકે તેમ છે.સરકાર દ્વારા આપેલ સુચના મુજબ પીવા માટે પાણી રીઝર્વ રાખવા જણાવેલ છે.પરંતુ હાલની સ્થિતીએ મચ્છુ-ર ડેમમાં ૧૬૦૦ MCFT પાણી રહેલ છે જો ખેડૂતોને સિંચાઇ માટે એક પાણ પુરતુ પાણી આપવામાં આવે તો ૨૦૦ MCFT પાણીની જરૂરીયાત રહે તો પણ મચ્છુ-ર ડેમમાં ૧૪૦૦ MCFT પાણીનો જથ્થો રહેશે. હાલમાં દર મહિને પીવાના પાણીનો ૨૦૦ MCFT જથ્થો ઉપડે છે.મચ્છુ-ર ડેમમાં રહેલ પાણીમાંથી સિંચાઇ માટે એક પાણ આપવામાં આવે તો પણ પીવાના પાણીનો જથ્થો સાત માસ સુધી ચાલે તેમ છે એટલે કે આગામી માર્ચે-૨૦૨૨ સુધીનો પીવાના પાણીનો જથ્થો રહેલો છે તો ખેડૂતના પાક માટે એક પાણ પાણી આપવામાં આવે તો મોટી નુકશાનીમાંથી ખેડુતો બચી શકે તેમ છે માટે ઉપરોકત બાબતે યોગ્ય વિચારીને સિંચાઇ માટે પાણી આપવા મગનભાઇ વડાવીયાએ માંગ કરેલ છે.






Latest News