શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ


SHARE











મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની જરૂર છે ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન અને કૃભકો ન્યુ દિલ્હીના ડાયરેકટર મગનલાલ વડાવિયાએ રાજયના ડેપ્યુટી સીએમ નિતીનભાઇ પટેલને લેખીત રજુઆત કરેલ છે.

મોરબી તાલુકાના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડમાં આવતા કુલ ૧૪ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.આ વર્ષે ચોમાસુ પાક બહુ જ સારો થયેલ છે. હાલમાં વરસાદ ખેંચાતા આ પાક નિષ્ફળ જાય તેમ છે. તો હાલમાં મચ્છુ-ર ડેમમાંથી કમાન્ડ એરીયામાં આવતા ખેડૂતોને એક પાણ આપવામાં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જતો અટકી શકે તેમ છે.સરકાર દ્વારા આપેલ સુચના મુજબ પીવા માટે પાણી રીઝર્વ રાખવા જણાવેલ છે.પરંતુ હાલની સ્થિતીએ મચ્છુ-ર ડેમમાં ૧૬૦૦ MCFT પાણી રહેલ છે જો ખેડૂતોને સિંચાઇ માટે એક પાણ પુરતુ પાણી આપવામાં આવે તો ૨૦૦ MCFT પાણીની જરૂરીયાત રહે તો પણ મચ્છુ-ર ડેમમાં ૧૪૦૦ MCFT પાણીનો જથ્થો રહેશે. હાલમાં દર મહિને પીવાના પાણીનો ૨૦૦ MCFT જથ્થો ઉપડે છે.મચ્છુ-ર ડેમમાં રહેલ પાણીમાંથી સિંચાઇ માટે એક પાણ આપવામાં આવે તો પણ પીવાના પાણીનો જથ્થો સાત માસ સુધી ચાલે તેમ છે એટલે કે આગામી માર્ચે-૨૦૨૨ સુધીનો પીવાના પાણીનો જથ્થો રહેલો છે તો ખેડૂતના પાક માટે એક પાણ પાણી આપવામાં આવે તો મોટી નુકશાનીમાંથી ખેડુતો બચી શકે તેમ છે માટે ઉપરોકત બાબતે યોગ્ય વિચારીને સિંચાઇ માટે પાણી આપવા મગનભાઇ વડાવીયાએ માંગ કરેલ છે.






Latest News