મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ


SHARE















મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની જરૂર છે ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન અને કૃભકો ન્યુ દિલ્હીના ડાયરેકટર મગનલાલ વડાવિયાએ રાજયના ડેપ્યુટી સીએમ નિતીનભાઇ પટેલને લેખીત રજુઆત કરેલ છે.

મોરબી તાલુકાના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડમાં આવતા કુલ ૧૪ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.આ વર્ષે ચોમાસુ પાક બહુ જ સારો થયેલ છે. હાલમાં વરસાદ ખેંચાતા આ પાક નિષ્ફળ જાય તેમ છે. તો હાલમાં મચ્છુ-ર ડેમમાંથી કમાન્ડ એરીયામાં આવતા ખેડૂતોને એક પાણ આપવામાં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જતો અટકી શકે તેમ છે.સરકાર દ્વારા આપેલ સુચના મુજબ પીવા માટે પાણી રીઝર્વ રાખવા જણાવેલ છે.પરંતુ હાલની સ્થિતીએ મચ્છુ-ર ડેમમાં ૧૬૦૦ MCFT પાણી રહેલ છે જો ખેડૂતોને સિંચાઇ માટે એક પાણ પુરતુ પાણી આપવામાં આવે તો ૨૦૦ MCFT પાણીની જરૂરીયાત રહે તો પણ મચ્છુ-ર ડેમમાં ૧૪૦૦ MCFT પાણીનો જથ્થો રહેશે. હાલમાં દર મહિને પીવાના પાણીનો ૨૦૦ MCFT જથ્થો ઉપડે છે.મચ્છુ-ર ડેમમાં રહેલ પાણીમાંથી સિંચાઇ માટે એક પાણ આપવામાં આવે તો પણ પીવાના પાણીનો જથ્થો સાત માસ સુધી ચાલે તેમ છે એટલે કે આગામી માર્ચે-૨૦૨૨ સુધીનો પીવાના પાણીનો જથ્થો રહેલો છે તો ખેડૂતના પાક માટે એક પાણ પાણી આપવામાં આવે તો મોટી નુકશાનીમાંથી ખેડુતો બચી શકે તેમ છે માટે ઉપરોકત બાબતે યોગ્ય વિચારીને સિંચાઇ માટે પાણી આપવા મગનભાઇ વડાવીયાએ માંગ કરેલ છે.






Latest News