મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ


SHARE













મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની જરૂર છે ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન અને કૃભકો ન્યુ દિલ્હીના ડાયરેકટર મગનલાલ વડાવિયાએ રાજયના ડેપ્યુટી સીએમ નિતીનભાઇ પટેલને લેખીત રજુઆત કરેલ છે.

મોરબી તાલુકાના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડમાં આવતા કુલ ૧૪ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.આ વર્ષે ચોમાસુ પાક બહુ જ સારો થયેલ છે. હાલમાં વરસાદ ખેંચાતા આ પાક નિષ્ફળ જાય તેમ છે. તો હાલમાં મચ્છુ-ર ડેમમાંથી કમાન્ડ એરીયામાં આવતા ખેડૂતોને એક પાણ આપવામાં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જતો અટકી શકે તેમ છે.સરકાર દ્વારા આપેલ સુચના મુજબ પીવા માટે પાણી રીઝર્વ રાખવા જણાવેલ છે.પરંતુ હાલની સ્થિતીએ મચ્છુ-ર ડેમમાં ૧૬૦૦ MCFT પાણી રહેલ છે જો ખેડૂતોને સિંચાઇ માટે એક પાણ પુરતુ પાણી આપવામાં આવે તો ૨૦૦ MCFT પાણીની જરૂરીયાત રહે તો પણ મચ્છુ-ર ડેમમાં ૧૪૦૦ MCFT પાણીનો જથ્થો રહેશે. હાલમાં દર મહિને પીવાના પાણીનો ૨૦૦ MCFT જથ્થો ઉપડે છે.મચ્છુ-ર ડેમમાં રહેલ પાણીમાંથી સિંચાઇ માટે એક પાણ આપવામાં આવે તો પણ પીવાના પાણીનો જથ્થો સાત માસ સુધી ચાલે તેમ છે એટલે કે આગામી માર્ચે-૨૦૨૨ સુધીનો પીવાના પાણીનો જથ્થો રહેલો છે તો ખેડૂતના પાક માટે એક પાણ પાણી આપવામાં આવે તો મોટી નુકશાનીમાંથી ખેડુતો બચી શકે તેમ છે માટે ઉપરોકત બાબતે યોગ્ય વિચારીને સિંચાઇ માટે પાણી આપવા મગનભાઇ વડાવીયાએ માંગ કરેલ છે.








Latest News