મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા


SHARE







વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા

( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં.

પવિત્ર રક્ષાબંધન પર્વ પર યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરવાનું ઐતિહાસિક ધાર્મિક મહાત્મ્ય રહેલું છે, ત્યારે વાંકાનેરમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે રક્ષાબંધનનાં પાવન પર્વ પર ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી, પ્રથમ યજ્ઞોપવીતનું પૂજન અર્ચન કરી ત્યાર બાદ યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવી હતી.






Latest News