માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રક્ષાબંધને સર્જાઇ કરૂણાંતિકા : ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું રસ્તામાં અકસ્માતે મોત


SHARE













મોરબીમાં રક્ષાબંધને સર્જાઇ કરૂણાંતિકા : ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું રસ્તામાં અકસ્માતે મોત

ગઈકાલે રક્ષાબંધનનો દિવસ હતો અને મોરબીના સામાકાંઠે રહેતી એક મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે તેના ઘેર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના પુત્રની સાથે જઇ રહેલી મહિલાના બાઇક આડી ગાય ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયુ હતુ તેના લીધે ગંભીર ઇજાઓ થવાથી મહિલાનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસેની દરિયાલાલ હોટલ નજીક ગઇકાલે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શાંતાબેન હરેશભાઈ પરમાર (ઉમર ૩૮) રહે.ઉમિયાનગર સોસાયટી સોઓરડી પાસે મોરબી-૨ નામની મહિલાનું મોત નિપજયું હતું.વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડીની પાસે આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતા શાંતાબેન હરેશભાઈ પરમાર નામની ૩૮ વર્ષીય મહિલા પોતાના પુત્રના બાઈકમાં બેસીને મોરબીથી રફાળેશ્વર બાજુ જઈ રહ્યા હતા તેઓને બંધુનગર ગામે તેમના ભાઈને ત્યાં રક્ષાબંધનના પર્વ નિમિતે રાખડી બાંધવા જવું હતું. દરમિયાનમાં રસ્તામાં રફાળેશ્વર ગામ પાસેની દરિયાલાલ હોટલ નજીક તેમના બાઇકની આડે અચાનક ગાય ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં શાંતાબેન પરમારનું મોત નીપજયું હતું. બનાવને પગલે તેમના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં બીટ જમાદાર એ.એલ.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News