મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રક્ષાબંધને સર્જાઇ કરૂણાંતિકા : ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું રસ્તામાં અકસ્માતે મોત


SHARE













મોરબીમાં રક્ષાબંધને સર્જાઇ કરૂણાંતિકા : ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું રસ્તામાં અકસ્માતે મોત

ગઈકાલે રક્ષાબંધનનો દિવસ હતો અને મોરબીના સામાકાંઠે રહેતી એક મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે તેના ઘેર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના પુત્રની સાથે જઇ રહેલી મહિલાના બાઇક આડી ગાય ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયુ હતુ તેના લીધે ગંભીર ઇજાઓ થવાથી મહિલાનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસેની દરિયાલાલ હોટલ નજીક ગઇકાલે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શાંતાબેન હરેશભાઈ પરમાર (ઉમર ૩૮) રહે.ઉમિયાનગર સોસાયટી સોઓરડી પાસે મોરબી-૨ નામની મહિલાનું મોત નિપજયું હતું.વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડીની પાસે આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતા શાંતાબેન હરેશભાઈ પરમાર નામની ૩૮ વર્ષીય મહિલા પોતાના પુત્રના બાઈકમાં બેસીને મોરબીથી રફાળેશ્વર બાજુ જઈ રહ્યા હતા તેઓને બંધુનગર ગામે તેમના ભાઈને ત્યાં રક્ષાબંધનના પર્વ નિમિતે રાખડી બાંધવા જવું હતું. દરમિયાનમાં રસ્તામાં રફાળેશ્વર ગામ પાસેની દરિયાલાલ હોટલ નજીક તેમના બાઇકની આડે અચાનક ગાય ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં શાંતાબેન પરમારનું મોત નીપજયું હતું. બનાવને પગલે તેમના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં બીટ જમાદાર એ.એલ.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News