મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો
મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત
SHARE
મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત
આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય ત્યાં કચ્છમાં આવેલા આશાપુરા માતાના મઢે દેશભરમાંથી ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબીના ટીંબડી ગામના ગામના મનીષભાઈ દેવમુરારીની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓની સેવામાં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે.જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા, થમ્સઅપ, લીંબુ સરબત, ફરસાણ તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓને આપી રહ્યા છે.જેમાં મનીષભાઈ દેવમુરારી, રમેશભાઈ રૈયાણી, મહેન્દ્રસિંહ જાડેજા, પિયુષભાઈ દેવમુરારી, કાનાભા ગઢવી, જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર-મોટા રામપર) રમેશભાઈ, કિશોરભાઈ પટેલ, આકાશ પંડ્યા, હિરેનભાઇ અને નિખિલભાઇ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે









