મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જુગારી પકડાયા


SHARE















મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જુગારી પકડાયા

મોરબી તાલુકાના લીલાપર ગામે તાલુકા પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં માતાજીના મંદિર પાસે જુગાર રમી રહેલા પાંચ ઇસમો મળી આવતા પોલીસે ૧૧૮૦૦ ની રોકડ રકમ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી

મોરબીના લીલાપર ગામે શીતળા માતાના મંદિર પાસે અમુક ઈસમો જાહેરમાં તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે તેવી માહિતી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા કિરણ ઉર્ફે બેબો નાગજી દેગામાં જાતે કોળી (૨૬) રહે. લીલાપર વિલ્સન પેપર મીલ સામે, સુનિલ મગન દેગામા જાતે કોળી (૨૯) રહે. લીલાપર, સોનલબેન રાજેશ આંતરેશા જાતે કોળી (૩૦) રહે. લીલપર, રીટાબેન સંજયભાઈ પરેચા જાતે કોળી (૩૦) રહે. લીલાપર અને કિશન વેલાભાઇ મગવાણીયા (૨૬) રહે. લીલાપર વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા અને પોલીસે રોકડા રૂપિયા ૧૧૮૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામે રહેતા પદ્માબેન છગનભાઈ મકવાણા અને હંસાબેન છગનભાઈ મકવાણાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.એ. જાડેજા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે પદ્માબેન અને હંસાબેન મોરબી તરફથી પોતાના ઘેર પીપળી જતા હતા ત્યારે પીપળી ગામ પાસેના પાવર હાઉસ પાસે તેમના બાઈક આડે અચાનક કૂતરું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવવામાં બંનેને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીમાં કેનાલ રોડ ઉપર ભોજાણીની વાડી રામજી મંદિર પાસે  રહેતો પ્રભુભાઈ મનસુખભાઈ ખાણઘર (૨૨) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસેથી પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવવામાં તેને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News