મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જુગારી પકડાયા
જામનગર આવેલા વડાપ્રધાન મોદીએ મોરબીના ખબર અંતર પૂછ્યા
SHARE
જામનગર આવેલા વડાપ્રધાન મોદીએ મોરબીના ખબર અંતર પૂછ્યા
જામનગર ખાતેના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીના હાલચાલ પૂછ્યા હતા. સાથે તેઓના ખબર અંતર પણ પૂછી લાગણીસભર વાતચીત કરી હતી.
જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકામોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે રોડ શો યોજીને જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમ વેળાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ બ્રિજેશભાઈ મેરજાને મોરબી પંથકના હાલ ચાલ પૂછ્યા હતા. તેઓએ બ્રિજેશભાઈને પૂછ્યું હતું કે મોરબી જોશમાં છેને ? મજામાં છે ને ? સામે બ્રિજેશભાઈએ આપના આશીર્વાદ છે તેવો મિતભાષી પ્રત્યુતર આપ્યો હતો. બીજી તરફ આજના જામકંડોરણા ખાતેના કાર્યક્રમ પણ વડાપ્રધાને મોરબીનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સાંસદ મોહનભાઇ કુંડારિયા તરફ નિર્દેશ કરીને મોરબીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભર્યાનું કહ્યું હતું.