વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ :
SHARE








વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ
(કેતન ભટ્ટી દ્વારા) : રાતીદેવળી માર્ગ પર આવેલ વૃંદાવન વાટિકા વિસ્તારમાંથી આધેડ વયના મહિલા કોઈ ને કઈ પણ જાણ કર્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા ચારે તરફ શોધ ખોળ કરવામાં આવી રહી છે ત્યારે હજુ સુધી આ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હોય પરિવારજનો ચિંતિત બન્યા છે.
વૃંદાવન વાટિકામાં રહેતાં નિશાબેન ઘોષ ઉ. વ. 62 ગઈ કાલ તા. 25 ઓગ. 2021 નાં રોજ ઘેર થી કહ્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, તેઓ હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે, ત્યારે હજુ સુધી આ મહિલાનો પત્તો લાગ્યો ન હોય કોઈ ને પણ આ મહિલા વિશે માહિતી મળે તો મો. 90990 21755 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

