મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીમાં બોળ ચોથ નિમિતે ઠેર ઠેર ગૌ પુજન


SHARE





મોરબીમાં બોળ ચોથ નિમિતે ઠેર ઠેર ગૌ પુજન

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહાવીર નગર, આનંદનગર, મધુવન, વૃંદાવન, ઋષભ નગર, શ્રીમદ રાજ, નિત્યાનંદ, પાવન પાર્ક વગેરે સોસાયટીની બહેનોએ બોળ ચોથ નીમતે ગાય પૂજન કર્યું હતું. મોરબીના શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ શાસ્ત્રોક્ત મહિમાં આપતા જણાવ્યું કે ગાયમાં રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે તેમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે. જેથી ગાયના અંગો ઉપાંગો અને મળ મૂત્રનો પણ પૂજાકાર્યમાં ઉપયોગ થાય છે. ગાવો વિશ્વસ્ય માતર: વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ ગાયનું દૂધમાં, દહીમાં, ઘી, માખણ વગેરેમાંથી જે તત્વ મળે છે. જે અન્ય પશુઓમાં નથી હોતું. અન્ય પશુઓના દૂધ કરતા વધુ ઝડપથી પાચન થાય છે. તેમના  દૂધથી બાળકોની બુદ્ધિ વધુ સારી રહે છે. આમ ગાયનું સંરક્ષણ, સંવર્ધન અને ઉછેર સારી રીતે થાયએ પણ ગાય માતાની સેવાપૂજા બરાબર છે.




Latest News