ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો


SHARE













માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો

મોરબીમાંથી પસાર થતાં માળિયા કચ્છ હાઇવે ઉપર આજે વહેલી સવારે હરીપર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં છોટાહાથી અને ખાનગી બસ સામસામે અથડાતા છોટાહાથીમાં જઈ રહેલા મુસાફરોમાંથી ડ્રાઈવર સહિત ૧૦ લોકોને ઇજાઓ થયેલ હતી તેમાંથી ત્રણ મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયેલ છે અને બાળકો સહિત કુલ મળીને છ લોકો હાલમાં સારવાર હેઠળ છે અને પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના માળીયા કચ્છ હાઇવે ઉપરથી આજે વહેલી સવારના સમયે કચ્છ બાજુ છોટા હાથી જઈ રહી હતી ત્યારે કચ્છ બાજુથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં છોટા હાથીમાં બેઠેલા ડ્રાઈવર સહિતના ૧૦ લોકોને ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે મુસાફરો પૈકી બે મહિલા ચંદાબેન વિપુલભાઈ (૩૦) અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (૬૯) રહે. બન્ને પીઠડીયાને મૃત જાહેર કર્યા હતા ને બાકીના ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી જો કે, સારવાર દરમ્યાન છોટા હાથીના ડ્રાઈવર દીપકભાઈ મનુભાઈ જિંજવાડીયા (૩૫) તેમજ જીણીબેન છગનભાઇ ગોંડલિયા (૬૦) નું મોત નીપજયું હતું આમ કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયા છે અને વિપુલભાઈ ગિરધારભાઈ ગોંડલિયા (૪૦), પ્રકાશભાઇ મજેઠીયા (૪૮), જેવીલ વિપુલભાઈ (૩), ધીરુભાઈ મૂળજીભાઈ ગોંડલીયા (૫૦), માહિબેન વિપુલભાઈ (૬), મીશ્રીબેન ચેતનભાઈ ગોંડલીયા (૯)ને ઇયજા થયેલ છે માટે તે સારવારમાં છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વીરપુર ગામ પાસે આવેલ પીઠડીયા ગામના રહેવાસી લોકો પીઠડીયાથી છોટાહાથીમાં કચ્છમાં માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા દરમ્યાન વહેલી સવારે આજે જીવલેણ અકસ્માતમાં બનાવ બન્યો છે 






Latest News