મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો મોરબી જિલ્લામાં દાડમની ખેતી માટે સરકારે ૬૧૮ બાગાયતદાર ખેડૂતોને કરી ૧૬૭.૯૨ લાખની સહાય મોરબી: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપનું વાવાઝોડું, કોંગ્રેસનો સફાયો: આખુ ગામ કેસરીયા રંગે રંગાયુ


SHARE







હળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપનું વાવાઝોડું, કોંગ્રેસનો સફાયો: આખુ ગામ કેસરીયા રંગે રંગાયુ

ધ્રાંગધ્રા હળવદ વિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં જુદી જુદી જગ્યાઓ પર હાલમાં કાર્યક્રમ યોજતા હોય છે તેવી જ રીતે હળવદ તાલુકાના રણમલપુર ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાજતે ગાજતે ગામના લોકો દ્વારા પ્રકાશભાઈ વરમોરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસના રણમલપુર ગામના આગેવાનો સહિત કુલ મળીને 300 થી વધુ લોકોએ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કર્યા છે જેથી કરીને આખું ગામ કેસરિયા રંગે રંગાયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી

હળવદ તાલુકાના રણમલપુર ગામે આજે ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગામના લોકો તેમજ મતદારો સહિતનાઓ દ્વારા તેઓનું ફૂલડે વધાવીને,  ઘોડે બેસાડીને અને વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ગામમાં વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા અનેક આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડીને આજે પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સિરામિક ઉધોગપતિ ગોવિંદભાઈ વરમોરા તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કેસરિયા ખેસ ધારણ કર્યા હતા અને રણમલપુર ગામના કોંગ્રેસી આગેવાન સહિત કુલ મળીને 300 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડીને આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે

હાલમાં જે કોંગી આગેવાનોએ કોંગ્રેસ છોડીનો કેસરીયો ખેસ ધારણ કરેલ છે તેમા  પુનાભાઈ રાઠોડ (રણમલપુર ગ્રામ પંચાયતના સરપંચ), જયંતીભાઈ પારેજીયા (હળવદ તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ), ત્રિશાલ પારેજીયા (યુથ કોંગ્રેસ અગ્રણી), યાજ્ઞિક ગોપાણી (કોંગ્રેસ મીડિયા સેલ પ્રમુખ), હસમુખ થળોદા (તાલુકા પંચાયત સદસ્ય ), ભીખાલાલ સંઘાણી (હળવદ કોંગ્રેસ અગ્રણી), મિલન કાવર (યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ), હરેશ ગોઠી (એનએસયુઆઇના પ્રમુખ હળવદ), નિલેશભાઈ (સરપંચ જસ્મતપુર), જાંજળભાઈ રબારી અને જીતેન્દ્રભાઇ ઈશ્વરભાઇ વરમોરા સહિતના આગેવાનો તેમજ 300 જેટલા કોંગી કાર્યકરોનો સમાવેશ થયા છે અને આખુ ગામ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ના વાવાઝોડામાં કેસરિયા રંગે રંગાયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી






Latest News