મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે


SHARE







સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે

મોરબી ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મ યોજાયો હતો ત્યારે કથાકાર મોરારીબાપુએ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતના  મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી અને આગામી તા.૩૦ સપ્ટેમ્બરને ભાદરવી પૂનમથી તા ૮ ઓક્ટોમ્બર સુધી મોરબીમાં કબીર આશ્રમની સામેના ભાગમાં મોરારીબાપુની રામકથા યોજાશે.

ગત તા ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોનો મોત નિપજ્યાં હતા જેથી કરીને આ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કબીર આશ્રમ પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સંતો મહંતો આવ્યા હતા ત્યારે રામ કથાકાર મોરારીબાપુએ  મોરબીમાં દિવંગતના  મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી આ દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ મોરબીમાં કથા યોજાશે હાલમાં કબીર આશ્રમના સંત શિવરામદાસ બાપુએ જણાવ્યું છે કે, મોરારીબાપુએ આગામી તા. ૩૦ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમે મોરબીના કબીર આશ્રમ સામેના મેદાનમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામકથા આપી છે જેથી કરીને તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે






Latest News