મોરબીના ઘૂટું ગામેથી ગુમ થયેલ બાળક મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી મળ્યો
સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે
SHARE
સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે
મોરબી ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મ યોજાયો હતો ત્યારે કથાકાર મોરારીબાપુએ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતના મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી અને આગામી તા.૩૦ સપ્ટેમ્બરને ભાદરવી પૂનમથી તા ૮ ઓક્ટોમ્બર સુધી મોરબીમાં કબીર આશ્રમની સામેના ભાગમાં મોરારીબાપુની રામકથા યોજાશે.
ગત તા ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોનો મોત નિપજ્યાં હતા જેથી કરીને આ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કબીર આશ્રમ પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સંતો મહંતો આવ્યા હતા ત્યારે રામ કથાકાર મોરારીબાપુએ મોરબીમાં દિવંગતના મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી આ દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ મોરબીમાં કથા યોજાશે હાલમાં કબીર આશ્રમના સંત શિવરામદાસ બાપુએ જણાવ્યું છે કે, મોરારીબાપુએ આગામી તા. ૩૦ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમે મોરબીના કબીર આશ્રમ સામેના મેદાનમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામકથા આપી છે જેથી કરીને તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે