મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે


SHARE













સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે

મોરબી ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મ યોજાયો હતો ત્યારે કથાકાર મોરારીબાપુએ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતના  મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી અને આગામી તા.૩૦ સપ્ટેમ્બરને ભાદરવી પૂનમથી તા ૮ ઓક્ટોમ્બર સુધી મોરબીમાં કબીર આશ્રમની સામેના ભાગમાં મોરારીબાપુની રામકથા યોજાશે.

ગત તા ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોનો મોત નિપજ્યાં હતા જેથી કરીને આ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કબીર આશ્રમ પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સંતો મહંતો આવ્યા હતા ત્યારે રામ કથાકાર મોરારીબાપુએ  મોરબીમાં દિવંગતના  મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી આ દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ મોરબીમાં કથા યોજાશે હાલમાં કબીર આશ્રમના સંત શિવરામદાસ બાપુએ જણાવ્યું છે કે, મોરારીબાપુએ આગામી તા. ૩૦ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમે મોરબીના કબીર આશ્રમ સામેના મેદાનમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામકથા આપી છે જેથી કરીને તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે






Latest News