ટંકારા બેઠક ઉપર કોંગ્રેસની પકડ મજબૂત: લલિતભાઈ કગથરાનો ઘોડો વિનમાં
મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન
SHARE
મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન
મોરબીવાસીઓના તથા દાતાઓના સહયોગથી સી.યુ.શાહ પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંચાલિત “ડો.કુસુમબેન અમૃતલાલ દોશી” પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-ર ના ભુમીપુજનનું આયોજન કરવામાં આવેલ છે.આયોજનમાં નામી દાતાઓ હાજરી આપશે.
સી.યુ.શાહ સડસ્થા પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ (સુરેન્દ્રનગર) સંચાલિત ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-રનું ભુમીપુજન પરસોતમભાઇ વરમોરા (વરમોરા ગૃપ) તથા સિઘ્ધાર્થભાઈ અશોકભાઇ જોષી (ગણેશ સિમેન્ટ) દ્વારા કરવામાં આવશે.તા.૨-૧૨ ને શુક્રવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-૨ આર્યવર્ત શેક્ષણીક સંકુલની બાજુમાં, મોરબી-માળીયા હાઇવે. લક્ષ્મીનગર મોરબી ખાતે યોજાશે.વધુ વિગત માટે મોબાઈલ નં. ૯૪૨૯૯ ૭૮૯૩૦, ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર-લક્ષ્મીનગરનો સંપર્ક કરી શકાશે તેમ સંસ્થાના હાતીમભાઇએ યાદીમાં જણાવેલ છે.