માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી


SHARE

















સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી

માલધારી સમાજનો અનુસુચિત જાતિમાંથી કાઢી નાખવાના સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજનાં યુવાનનો ભોગ લેવાયો ભાજપમાં માલધારી સમાજનાં બની બેઠેલા નેતાઓ સરકાર પાસે જવાબ માંગે આવા કેટલાનો ભોગ લેવાશે તેવો સવાલ મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ બી. રબારી દ્વારા કરવામાં આવ્યો છે

તાજેતરમાં તા. ૨૮/૮/૨૦૧૮ ના રોજ માલધારી સમાજનાં યુવાન કે જે પાણી પુરવઠા બોર્ડમાં નોકરી કરતા કર્મચારી કરશનભાઈ ચાવડા કેશોદ ખાતે ફરજ પર તા તેઓએ ગીરબરડાઆલેયના માલધારી સમાજને સરકાર દ્વારા કરાતા ભયાનક અન્યાય સામે સમાજનાં હિતમાં અને સમાજ માટે આત્મધાતી પગલુ ભરેલ છે તેમ તેમની સ્યુસાઈડ નોટમાં જણાવેલ છે અને આઠેક માસ અગાઉ જૂનાગઢમાં સરકારી કર્મચારીએ પણ આ પ્રશ્ન આપઘાત કરેલ હતો જેનો સમાજમાં ભારે ઉહાપોહ થયેલ અને મૃતકની લાશ પણ ઉપાડેલ નહી ત્યારે સરકારે દરમ્યાનગીરી કરી આ પ્રશ્ન તાત્કાલિક નિર્ણય થશે તેવી ખાત્રી આપેલ હતી પરંતુ તેનો અમલ નહી કરાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે




Latest News