ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હત્યાની કોશિશના ગુનામાં પકડાયેલા ચારેય આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા


SHARE













માળીયા (મી)ના હત્યાની કોશિશના ગુનામાં પકડાયેલા ચારેય આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા

માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ ૨૦૧૮ માં નોંધાયેલ હત્યાની કોશીશની ફરિયાદનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને રાખીને પોલીસે ચારેય આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરેલ છે

માળીયા(મીં) તાલુકા પોલીસ સ્ટેશને તા. ૪/૧૦/ર૦૧૮ ના રોજ ફરીયાદી નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યા મુજબ ફરીયાદીના ભત્રીજા સાહેદ અને આરોપી વચ્ચે મોટરસાઈકલ આડ નાખવા બાબતે ઝઘડો થયો હતો અને ફરીયાદી તથા સાહેદો આરોપીઓને સમજાવવા જતા જે બાબતેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરીને મારી નાખવાના ઈરાદે ફરીયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને આરોપીઓએ ફરીયાદીના માથાના ભાગે ધારીયાનો એક ઘા મારી માથામાં ગંભીર ઈજા કરી હતી તેમજ ધોકા પાઈપ વતી માર મારી ફેંકચર જેવી ગંભીર ઈજા કરી હતી અને ફરીયાદી તથા સાહેદોના મોત નીપજાવવાની કોશીશ કરી હતી આ ગુનામાં પોલીસે આરોપી હનીફભાઈ અલીમહમદભાઈ જેડા, અઝહર અલીમહમહભાઈ જેડા, સીકંદર જાનમહમદભાઈ જેડા અને શેરમામદ તાજમહમદભાઈ જેડાની ધરપકડ કરી હતી અને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા આરોપી તરફે રોકાયેલ હોય ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારીની જબાની લેવામાં આવેલી હતી અને આરોપીના વકીલ દ્વારા જે દલીલ કરવામાં આવી હતી કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. જેથી કરીને કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News