મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત


SHARE













હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત

હળવદના ચુપણી ગામ નજીક આજે વીજ કંપનીનો ચાલુ વીજ વાયર તૂટી પડ્યો હતો ત્યારે નીચેથી પસાર થતી ગાયો અને ભેંસો તેને અડકી ગયેલ હતી જેથી કરીને અકે કે બે નહીં પરંતુ ૧૬ ભેંસ અને ૫ ગાયના મોટા થયેલ છે જેથી કરીને દૂધાળા પશુના મોત થતાં માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયેલ છે ત્યારે વીજ કંપની તરફથી માલધારીઓને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

હળવદના ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ પોતાની ગાયો અને ભેંસોને ચરાવવા માટે જતાં હતા ત્યારે વીજ કંપનીની ઇલેવન કેવીની લાઇનનો ચાલુ વાયર તૂટીને પડ્યો હતો અને તેને અબોલ જીવ ગાય અને ભેંસ અડકી જતાં ૨૧ દૂધાળા પશુના મોત થયા છે જેમાં ૧૬ ભેંસ અને ૫ ગાયનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, આ દૂધાળા પશુ આધારે બંને માલધારીઓના પરિવારનો નિર્વાહ ચાલતો હતો ત્યારે આ ઘટનાથી તે બંને પરિવાર ઉપર મોટી આફત આવી પડેલ છે ત્યારે બંને માલધારીઓને સરકાર તરફથી અને વીજ કંપની તરફથી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુમાં મળતી માહિતી મુજબ આ ઘટનામાં વસરામભાઈ ભવાનભાઈ ભરવાડની ૧૧ ભેંસ અને ૫ ગાયના મોત થયેલ છે જયારે મુન્નાભાઈ કલાભાઈ ભરવાડની ૫ ભેંસના મોત થયા છે






Latest News