મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત પૂરી કરવામાં આવી
હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત
SHARE
હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત
હળવદના ચુપણી ગામ નજીક આજે વીજ કંપનીનો ચાલુ વીજ વાયર તૂટી પડ્યો હતો ત્યારે નીચેથી પસાર થતી ગાયો અને ભેંસો તેને અડકી ગયેલ હતી જેથી કરીને અકે કે બે નહીં પરંતુ ૧૬ ભેંસ અને ૫ ગાયના મોટા થયેલ છે જેથી કરીને દૂધાળા પશુના મોત થતાં માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયેલ છે ત્યારે વીજ કંપની તરફથી માલધારીઓને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે
હળવદના ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ પોતાની ગાયો અને ભેંસોને ચરાવવા માટે જતાં હતા ત્યારે વીજ કંપનીની ઇલેવન કેવીની લાઇનનો ચાલુ વાયર તૂટીને પડ્યો હતો અને તેને અબોલ જીવ ગાય અને ભેંસ અડકી જતાં ૨૧ દૂધાળા પશુના મોત થયા છે જેમાં ૧૬ ભેંસ અને ૫ ગાયનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, આ દૂધાળા પશુ આધારે બંને માલધારીઓના પરિવારનો નિર્વાહ ચાલતો હતો ત્યારે આ ઘટનાથી તે બંને પરિવાર ઉપર મોટી આફત આવી પડેલ છે ત્યારે બંને માલધારીઓને સરકાર તરફથી અને વીજ કંપની તરફથી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુમાં મળતી માહિતી મુજબ આ ઘટનામાં વસરામભાઈ ભવાનભાઈ ભરવાડની ૧૧ ભેંસ અને ૫ ગાયના મોત થયેલ છે જયારે મુન્નાભાઈ કલાભાઈ ભરવાડની ૫ ભેંસના મોત થયા છે