મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી બે 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત
Breaking news
Morbi Today

હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત


SHARE











હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત

હળવદના ચુપણી ગામ નજીક આજે વીજ કંપનીનો ચાલુ વીજ વાયર તૂટી પડ્યો હતો ત્યારે નીચેથી પસાર થતી ગાયો અને ભેંસો તેને અડકી ગયેલ હતી જેથી કરીને અકે કે બે નહીં પરંતુ ૧૬ ભેંસ અને ૫ ગાયના મોટા થયેલ છે જેથી કરીને દૂધાળા પશુના મોત થતાં માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયેલ છે ત્યારે વીજ કંપની તરફથી માલધારીઓને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

હળવદના ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ પોતાની ગાયો અને ભેંસોને ચરાવવા માટે જતાં હતા ત્યારે વીજ કંપનીની ઇલેવન કેવીની લાઇનનો ચાલુ વાયર તૂટીને પડ્યો હતો અને તેને અબોલ જીવ ગાય અને ભેંસ અડકી જતાં ૨૧ દૂધાળા પશુના મોત થયા છે જેમાં ૧૬ ભેંસ અને ૫ ગાયનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, આ દૂધાળા પશુ આધારે બંને માલધારીઓના પરિવારનો નિર્વાહ ચાલતો હતો ત્યારે આ ઘટનાથી તે બંને પરિવાર ઉપર મોટી આફત આવી પડેલ છે ત્યારે બંને માલધારીઓને સરકાર તરફથી અને વીજ કંપની તરફથી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુમાં મળતી માહિતી મુજબ આ ઘટનામાં વસરામભાઈ ભવાનભાઈ ભરવાડની ૧૧ ભેંસ અને ૫ ગાયના મોત થયેલ છે જયારે મુન્નાભાઈ કલાભાઈ ભરવાડની ૫ ભેંસના મોત થયા છે






Latest News