વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત
Breaking news
Morbi Today

મોરબીના રાજનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં


SHARE











મોરબીના રાજનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર વિસ્તારમાં રહેતો યુવાન કોઈ કારણોસર તેના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને હાલમાં બેભાન હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતો મેહુલ લક્ષ્મણભાઈ નંદાસણા નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે હાલ સારવારમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ મેહુલ નંદાસણા બેભાન હાલતમાં હોવાનું જાણવા મળેલ છે.સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતો સંદીપ રમેશભાઈ કાવર જાતે પટેલ નામનો ૩૨ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે દવા પી ગયો હોય તેને મોરબીની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હાલ સંદીપભાઈ કાવર બેભાન હાલતમાં હોય કયા કારણોસર તેઓએ ઉપરોકચ પગલું ભર્યું તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા વૃદ્ધ દંપતી સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે નીલકંઠ સીરામીક નજીક રહેતા વૃદ્ધ દંપતિને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે નીલકંઠ સીરામીક નજીક રહેતા સુનિતાબેન મગનભાઈ ડામોર (ઉમર ૫૦) અને મગનભાઈ રૂગીયાભાઈ ડામોર (ઉમર ૫૫) નામના વૃદ્ધ દંપતીને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા બંનેને સિવિલે સારવાર માટે લવાયા હતા હાલ બનાવના કારણ અંગે મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ સાથે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે.






Latest News