ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રાજનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં


SHARE













મોરબીના રાજનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર વિસ્તારમાં રહેતો યુવાન કોઈ કારણોસર તેના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને હાલમાં બેભાન હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતો મેહુલ લક્ષ્મણભાઈ નંદાસણા નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે હાલ સારવારમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ મેહુલ નંદાસણા બેભાન હાલતમાં હોવાનું જાણવા મળેલ છે.સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતો સંદીપ રમેશભાઈ કાવર જાતે પટેલ નામનો ૩૨ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે દવા પી ગયો હોય તેને મોરબીની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હાલ સંદીપભાઈ કાવર બેભાન હાલતમાં હોય કયા કારણોસર તેઓએ ઉપરોકચ પગલું ભર્યું તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા વૃદ્ધ દંપતી સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે નીલકંઠ સીરામીક નજીક રહેતા વૃદ્ધ દંપતિને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે નીલકંઠ સીરામીક નજીક રહેતા સુનિતાબેન મગનભાઈ ડામોર (ઉમર ૫૦) અને મગનભાઈ રૂગીયાભાઈ ડામોર (ઉમર ૫૫) નામના વૃદ્ધ દંપતીને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા બંનેને સિવિલે સારવાર માટે લવાયા હતા હાલ બનાવના કારણ અંગે મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ સાથે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે.






Latest News