મોરબીની ઓમ.વી.વી. આઇ.એમ.કોલેજ ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ઘા યોજાઇ
મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો
SHARE
મોરબીની નીલકંઠ સ્કૂલમાં બે દિવાસીય પુસ્તક મેળો યોજાયો
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં ૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવકાનંદજીની જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિતે યોજાયેલ નીલકંઠ પુસ્તક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ મેળામાં નીલકંઠ સ્કૂલમાં આભાસ કરતાં વિદ્યાર્થીઓએ સહિતના લોકો આવ્યા હતા અને મન ગમતા પુસ્તકની ખરીદી કરી હતી આ નીલકંઠ પુસ્તક મેળો આજે તા ૧૩ ના રોજ સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ જ રાખવામા આવશે જેથી મોરબીવાસીઓ આ પુસ્તક મેળાની મુલાકાત લઈ શકે છે તેવું શાળાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે