મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના રોયલપાર્કમાંથી ૮૫ ચાઇના દોરીની ફિરકી પકડાયાના બનાવમાં વધુ બેની ધરપકડ


SHARE





મોરબીના રોયલપાર્કમાંથી ૮૫ ચાઇના દોરીની ફિરકી પકડાયાના બનાવમાં વધુ બેની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોયલપાર્કમાં રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ૮૫ ચાઇના દોરી કિંમત રૂા.૧૭,૦૦૦ ના મુદામાલ સાથે જેતે સમયે એક યુવાન પકડાયો હતો અને તેની પાસેથી વધુ બે શ્ખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડીને પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.

મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે પ્રથમભાઇ મનસુખભાઇ વાણીયા રહે. કુબેરનગર મોરબી વાળો તેના સાગરીતો સાથે મળી રોયલપાર્ક અને કુબેરનગર પાસે રહેતાં કૃણાલ બટુકભાઇ લુહારના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીનો જથ્થાનો સંગ્રહ કરીને વેચાણ કરે છે જેથી કરીને પોલીસે રોયલપાર્કમાં આવેલ રહેણાક મકાનમાં રેડ કરી હતી ત્યારે પ્રથમભાઇ મનસુખભાઇ કેલા જાતે મોઢવાણીયા (ઉમર ૧૯) રહે. કુબેરનગર ત્રિલોકધામ મંદિર પાસે મોરબી વાળો મળી આવ્યો હોય અને તેની પાસેથી પ્રતિબંધીત ચાઇના દોરીની ૮૫ ફિરકી કિંમત ૧૭,૦૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે તે કબ્જે કરીને પ્રથમ કેલાની જેતે સમયે ધરપકડ કરી હતી.જયારે તેની સાથેના કૃણાલ બટુકભાઇ પિત્રોડા જાતે લુહાર (૨૫) રહે. રોયલપાર્ક નવલખી રોડ મોરબી અને વિશાલ મહાદેવભાઇ કાચરોલા જાતે પટેલ (૨૮) રહે. કુબેરનગર ત્રિલોકધામ મંદિરની પાસે મોરબી વાળાઓની પણ પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ છે.

દવા પી જતા સારવારમાં

ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા જિજ્ઞાસાબેન ઉર્ફે જીગ્નીશાબેન શંકરભાઈ ઉમા નામની ૧૮ વર્ષીય યુવતી વાળી વિસ્તારમાં કોઈ કારણોસર ઘાસમાં છાંટવાની દવા પી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે મોરબીના ઉમિયા સર્કલ પાસેથી બેભાન હાલતમાં શક્તિસિંહ ઝાલા નામના ૩૫ વર્ષના યુવાનને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને તેના વાલી વારસ મળેલ ન હોય તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.હાલ શક્તિસિંહ ઝાલા નામના યુવાનને સિવીલે સારવાર માટે એડમિટ કરાયો છે અને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા નિકિતાબેન રમેશભાઈ ત્રિવેદી (૨૫) અને સુશીલાબેન સુખલાલ ત્રિવેદી (૩૦) નામના બે મહિલાઓને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે અહિંની સિવિલે લવાયા હતા જેથી એ ડિવિઝન પોલીસે આ અંગે નોંધ કરી બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.જ્યારે જામનગરના રામપર ગામના રહેવાસી મહિપતભાઈ ગોવિંદભાઈ બગધર નામના ૫૨ વર્ષના આધેડને મોરબી-નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર નજીક બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.




Latest News