ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી હદપાર કરેલ શખ્સ લીલાપર રોડે ચાર માળિયામાંથી મળી આવ્યો !


SHARE













મોરબીમાંથી હદપાર કરેલ શખ્સ લીલાપર રોડે ચાર માળિયામાંથી મળી આવ્યો !

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતા શખ્સને હદ પાર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ તે શખ્સ મોરબીમાં હોવાની માહિતી મળી હતી જેથી પોલીસ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી હદપારીનો ભંગ કરીને મોરબી આવેલ શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેને પકડીને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયા સરકારી આવાસ યોજનામાં રહેતા અકબરભાઈ હાજીભાઈ સમા જાતે સંધિ (૩૬)ની સામે હદ પારિની દરખાસ્ત મોકલવામાં આવી હતી અને તે દરખાસ્તને મંજુર કરવામાં આવી હોવાથી તા ૨૬/૧૧/૨૦૨૨ થી ૬ મહિના સુધી અકબરભાઈ સમાને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાંથી હદ પાર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને હદપાર દરમિયાન તેને સુરત ખાતે કામરેજ કાપોદ્રા ચાર રસ્તા પાસે તેના મિત્ર હરભજનસિંહ પાસે પોલીસ મુકી આવી હતી તેમ છતાં પણ આ શખ્સ મોરબીમાં આવ્યો હોવાની માહિતી મળી હતી જેથી મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ચાર માળિયામાં ચેક કરવામાં આવતા ત્યાંથી અકબરભાઈ હાજીભાઈ સમા મળી આવતા તેની સામે વધુ એક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ખાખરેચીથી રાપર ગામના રસ્તા વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામના રહેવાસી રાજન હરિભાઈ તિવારી (ઉંમર ૩૫) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ઉમિયા નગરમાં આવેલ યોગી એપાર્ટમેન્ટમાં રહેતા મહેન્દ્રભાઈ વસંતભાઈ મહેતા (ઉંમર ૬૦) પોતાનું બાઈક લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈલ આડે ખુટિયો આવ્યો હતો જેથી બાઇકને કંટ્રોલ કરવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહેન્દ્રભાઈ મહેતાને ઈજા થઈ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News