મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી હદપાર કરેલ શખ્સ લીલાપર રોડે ચાર માળિયામાંથી મળી આવ્યો !


SHARE





મોરબીમાંથી હદપાર કરેલ શખ્સ લીલાપર રોડે ચાર માળિયામાંથી મળી આવ્યો !

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતા શખ્સને હદ પાર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ તે શખ્સ મોરબીમાં હોવાની માહિતી મળી હતી જેથી પોલીસ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી હદપારીનો ભંગ કરીને મોરબી આવેલ શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેને પકડીને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયા સરકારી આવાસ યોજનામાં રહેતા અકબરભાઈ હાજીભાઈ સમા જાતે સંધિ (૩૬)ની સામે હદ પારિની દરખાસ્ત મોકલવામાં આવી હતી અને તે દરખાસ્તને મંજુર કરવામાં આવી હોવાથી તા ૨૬/૧૧/૨૦૨૨ થી ૬ મહિના સુધી અકબરભાઈ સમાને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાંથી હદ પાર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને હદપાર દરમિયાન તેને સુરત ખાતે કામરેજ કાપોદ્રા ચાર રસ્તા પાસે તેના મિત્ર હરભજનસિંહ પાસે પોલીસ મુકી આવી હતી તેમ છતાં પણ આ શખ્સ મોરબીમાં આવ્યો હોવાની માહિતી મળી હતી જેથી મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ચાર માળિયામાં ચેક કરવામાં આવતા ત્યાંથી અકબરભાઈ હાજીભાઈ સમા મળી આવતા તેની સામે વધુ એક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ખાખરેચીથી રાપર ગામના રસ્તા વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામના રહેવાસી રાજન હરિભાઈ તિવારી (ઉંમર ૩૫) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ઉમિયા નગરમાં આવેલ યોગી એપાર્ટમેન્ટમાં રહેતા મહેન્દ્રભાઈ વસંતભાઈ મહેતા (ઉંમર ૬૦) પોતાનું બાઈક લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈલ આડે ખુટિયો આવ્યો હતો જેથી બાઇકને કંટ્રોલ કરવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહેન્દ્રભાઈ મહેતાને ઈજા થઈ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News