હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતી પરિણીતાની પિતરાઈ બહેનના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના પતિએ ત્યાં જવાની ના પાડી હતી જેથી કરીને પરણીતાને લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મોનાભાઈ લામકાના પત્ની અમુબેન લામકા (૨૮) પોતાના ઘરે હતા ત્યારે બપોરના સમયે ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ઘનશ્યામભાઈ મોનાભાઈ લામકા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ રામજીભાઈ પરમાર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક પરણીતાના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે મૃતક મહિલાની માસીની દીકરીના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના ઘરે નૈવેધ હતા જેથી મૃતક મહિલાના પતિએ શ્રીમંતના પ્રસંગમાં જવાની ના પાડી હતી અને ત્યારબાદ તે પોતાના કામે જતો રહ્યો હતો અને દરમિયાન પરણીતા તેના ઘરે હતી ત્યારે તેને ગળાફાંસો ખાઈને આપઘાત લીધેલ છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની બે બોટલ સાથે પકડાયો

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમથી કલ્યાણપર જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે હરેશભાઈ ખીમજીભાઈ ગોપાણી જાતે પટેલ (ઉંમર ૪૨) રહે. કલ્યાણપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News