મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે શાળા ટોબેકો કંટ્રોલ સેલ ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE











ટંકારાના નસીતપર ગામે શાળા ટોબેકો કંટ્રોલ સેલ ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે નસીતપર ખાતે આવેલી શ્રી જુના નસીતપર પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધો. ૬ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધેલ હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ હતું જેમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિતી કરવામાં આવ્યા હતા ત્યારબાદ આર.બી.એસ.કે. ડો.અમિતા સનારીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેશ કે પી.એચ.સી. સુપરવાઈઝર મોસત એમ.એસ, એમ.પી.એચ.ડબ્લ્યુ જાની જગદીશભાઈ એફ.એચ. ડબલ્યુ, અફસાના બારિયા સી.એચ.ઓ, અસ્મા ચૌધરી પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કિશોરભાઈ વસિયાણી તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News