મોરબીના સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ
મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના બરવાળાથી ખેવાડીયા જતી પાણી પુરવઠાની તૂટેલી લાઈન રીપેર કરવાં આવી નથી જેથી કરીને હાલમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે જેથી કરીને યોગે કાર્યવાહી કરવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે
મોરબી નજીકના બરવાળા ગામે આવેલ સંપ તેમજ ઓવરહેડ ટેંકમાંથી બરવાળાથી ખેવાડીયા સુધી પાણીની પીઈપ લાઈન પથરવામાં આવી છે જે પાઈપ લાઈન છેલ્લે દોઢ માસથી તૂટેલી છે અને પાણી મોટા પાયે બગાડ થઇ રહ્યો છે જેની તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં આ લાઈનના કોન્ટ્રાટર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. અને અધિકારીઓ પણ આ કોન્ટ્રાકટરને કઈ કહી શકતા નથી જેથી કરીને આ બાબતે હાલમાં પાણીનો બચાવ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે









