મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ  


SHARE













મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ  

મોરબી એબીવોપી દ્વારા હુંકાર' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલન બાદ શોભાયાત્રાનું પણ મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા 'છાત્ર હુંકાર'  સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા.૨૪ જાન્યુઆરીના રોજ યોજાયેલ સંમેલનમાં મોટી સંખ્યામાં જીલ્લામાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અને શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ સંસ્કાર બ્લડબેંક ખાતે હુંકાર સંમલેન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસના સમયમાં ભણવામાં પૂરું ધ્યાન આપવા માટે અને સફળ કારકિર્દી બનાવવા માટે જુદાજુદા દ્રષ્ટાંતો આપીને માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને સમય કોઇની સાથે રહેતો નથી પરંતુ જો તમે સમયની સાથે રહેતા શીખી જશો તો તમારું ભવિષ્ય ઉજળું છે તેવી ટકોર કરી હતી આ તકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લાના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા






Latest News