મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને ભૂલ સુધારી: ઈનોવેશન ફેરનું પરિણામ બદલાયું
મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ
SHARE
મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ
મોરબી એબીવોપી દ્વારા હુંકાર' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલન બાદ શોભાયાત્રાનું પણ મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા 'છાત્ર હુંકાર' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા.૨૪ જાન્યુઆરીના રોજ યોજાયેલ સંમેલનમાં મોટી સંખ્યામાં જીલ્લામાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અને શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ સંસ્કાર બ્લડબેંક ખાતે હુંકાર સંમલેન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસના સમયમાં ભણવામાં પૂરું ધ્યાન આપવા માટે અને સફળ કારકિર્દી બનાવવા માટે જુદાજુદા દ્રષ્ટાંતો આપીને માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને સમય કોઇની સાથે રહેતો નથી પરંતુ જો તમે સમયની સાથે રહેતા શીખી જશો તો તમારું ભવિષ્ય ઉજળું છે તેવી ટકોર કરી હતી આ તકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લાના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા