મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ  


SHARE







મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ  

મોરબી એબીવોપી દ્વારા હુંકાર' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલન બાદ શોભાયાત્રાનું પણ મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા 'છાત્ર હુંકાર'  સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા.૨૪ જાન્યુઆરીના રોજ યોજાયેલ સંમેલનમાં મોટી સંખ્યામાં જીલ્લામાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અને શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ સંસ્કાર બ્લડબેંક ખાતે હુંકાર સંમલેન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસના સમયમાં ભણવામાં પૂરું ધ્યાન આપવા માટે અને સફળ કારકિર્દી બનાવવા માટે જુદાજુદા દ્રષ્ટાંતો આપીને માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને સમય કોઇની સાથે રહેતો નથી પરંતુ જો તમે સમયની સાથે રહેતા શીખી જશો તો તમારું ભવિષ્ય ઉજળું છે તેવી ટકોર કરી હતી આ તકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લાના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા






Latest News